ભાજપ અને કોંગ્રેસના ગઢમાં ખાડો : આ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા…

Published on: 4:15 pm, Wed, 28 July 21

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. તમામ રાજકીય પક્ષો પોતાનો ગઢ જમાવવા માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ દિવસેને દિવસે વધી રહ્યું છે.

દિવસેને દિવસે ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ઉપરાંત આમ આદમી પાર્ટીમાં દિવસેને દિવસે અલગ-અલગ જિલ્લા, તાલુકા અને શહેરોમાંથી સામાજિક અગ્રણીઓ અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

આ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસ થી કંટાળી ગયેલા લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ગઢ જમવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે.

આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા અને પ્રવિણ રામ ગુજરાતના અલગ-અલગ ગામડાઓમાં જઇને લોકોના પ્રશ્નોનો ઉકેલ આવી રહ્યા છે અને સંવેદના કાર્યક્રમ કરી રહ્યા છે.

જ્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામમાં અને ભાભર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા સંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી, વિજય સુવાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી, પ્રદેશ નેતા સંગઠન મંત્રી રમેશના નાભાણી, તાલુકા પ્રમુખ થાના સહિત હાજર રહ્યા હતા.

અને ત્યારબાદ કોરોના મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપ અને કોંગ્રેસના ગઢમાં ખાડો : આ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા…"

Leave a comment

Your email address will not be published.


*