માતા-પિતાએ સૌપ્રથમ પોતાના બાળકોને ઝેરી દવા પીવડાવી દીધી, ત્યારબાદ બંને ગળાફાંસો ખાઇ લીધો – જાણો એવું તો શું થયું હશે કે આ પગલું ભર્યું…

Published on: 3:35 pm, Sat, 7 May 22

હાલમાં બનેલી રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. એક લોજ માંથી ચાર લોકોના મૃતદેહો મળી આવ્યા છે. આ ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના છત્તીસગઢના કાંકરે જિલ્લામાં બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ઘટનાને લઈને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પતિ-પત્નીએ સૌ પ્રથમ બે બાળકોને ઝેરી દવા આપી દીધી અને પતિ પત્નીએ ગળાફાંસો ખાઇ લીધો હશે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સગા સંબંધીઓની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આર્થિક સંકડામણથી કંટાળીને પતિ-પત્નીએ આખા પરિવારનો અંત લાવી દીધો. મૃત્યુ પામેલા યુવકે આ પગલું ભર્યું તે પહેલાં પોતાની બહેન સાથે વાત કરી હતી.

મળતી માહિતી અનુસાર 35 વર્ષીય જીતેન્દ્ર, 33 વર્ષીય સવિતા, 7 વર્ષીય કેવલ અને 4 વર્ષીય મોક્ષિતાનું મૃતદેહ ગુરૂવારના રોજ રાત્રે એક લોજ માંથી મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પહેલા પરિવાર ભોજન લેવા માટે એક હોટલમાં ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારજનોની પૂછપરછમાં ઘણા મહત્વના ખુલાસાઓ પણ થયા છે.

મળતી માહિતી અનુસાર 4 તારીખના રોજ જીતેન્દ્ર પોતાના પરિવાર સાથે લોજમાં આવ્યો હતો. ત્યાં લોજના સંચાલકે તેને 9 નંબરનો રૂમ આપ્યો હતો. ત્યારબાદ થોડાક સમય બાદ પતિ-પત્ની અને બાળકો ખાવા માટે બહાર ગયા હતા. રાત્રે 9 વાગ્યાની આસપાસ રૂમ પર પાછા આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે જ્યારે રૂમનો દરવાજો ખખડાવવા માં આવ્યો ત્યારે કોઇ અંદરથી જવાબ પણ ન આપ્યો અને દરવાજો પણ ન ખોલ્યો હતો.

શંકાના આધારે બારીમાંથી તપાસ કરવામાં આવી અને રૂમની અંદરથી લટકતી હાલતમાં પતિ પત્નીના મૃત્યુ દેખાયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને રૂમમાંથી પતિ પત્ની સાથે બંને બાળકોના પણ મૃતદેહ મળી આવ્યા હતા.

ચારેયના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે. જીતેન્દ્ર છેલ્લી વખત પોતાની બહેન સાથે વાત કરી હતી, જીતેન્દ્ર તેની બહેને કહ્યું હતું કે અમે સુઈ જઈએ છીએ, પછી વાત કરશું.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, બાળકોને જમવાના બહાને બહાર લઇ જવામાં આવ્યા અને ત્યાં તેમને ઝેરી દવા પીવડાવી દેવામાં આવી હતી. ત્યારબાદ લોજ માં પાછા આવીને રૂમમાં જઈને પતિ-પત્ની બાળકોને સુવડાવી દીધા અને બંને ગળાફાંસો ખાઇ લીધો હશે. પરિવારના લોકોનું કહેવું છે કે આર્થિક સંકડામણ ના કારણે પતિ-પત્નીએ આ પગલું ભર્યું છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને તપાસ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માતા-પિતાએ સૌપ્રથમ પોતાના બાળકોને ઝેરી દવા પીવડાવી દીધી, ત્યારબાદ બંને ગળાફાંસો ખાઇ લીધો – જાણો એવું તો શું થયું હશે કે આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*