હે ભગવાન તું આટલો બધો નિર્દય કેમ..? સુરતમાં આઇસર ચાલકે માતા અને બંને બાળકોને કચડી નાખ્યા, ત્રણેયના તડપી તડપીને મોત…એક ઝટકામાં આખો પરિવાર સાફ થઈ ગયો…

Published on: 1:59 pm, Fri, 25 November 22

સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ઉધનામાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક આઇસર ચાલકે બે બાળકો અને તેની માતાને અડફેટેમાં લીધી હતી. અકસ્માતની ઘટનામાં ત્રણેય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેના કારણે બે બાળકોના તો ઘટના સ્થળે જ મોત થયા હતા.

જ્યારે ઇજાગ્રસ્ત થયેલી માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન માતાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની તપાસ હાથ ધરી હતી.

આઇસર ચાલક ખૂબ જ ઝડપથી આવી રહ્યો હતો જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આઇસર ચાલકે બંને બાળકો અને એક મહિલાને ફંગોળી દીધા હતા. જેના કારણે બંને બાળકોના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આઇસર ચાલક ઘટના સ્થળે જ આઇસર મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. લોકોએ 108 ની મદદથી ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલી હતી.

અકસ્માતની બનાવની જાણ થતા પોલીસની પણ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનાના કારણે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેના કારણે ગુસ્સામાં ભરાયેલા લોકોએ આઇસર ટ્રકની તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને પોલીસે આઇસર ચાલક ની શોધખોળ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે સ્કૂલ ડ્રેસમાં બંને બાળકો અને તેની માતાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર મળે તે પહેલા તો બંને બાળકોના મૃત્યુ થયા હતા. જ્યારે ટૂંકી સારવાર દરમિયાન બાળકોની માતાનું પણ મોત થયું હતું. મૃત્યુ પામેલા એક બાળકનું નામ હેપ્પી શર્મા અને દેવીક શર્મા હતું. તેઓ પાંડેસરાની એક સોસાયટીમાં રહેતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન તું આટલો બધો નિર્દય કેમ..? સુરતમાં આઇસર ચાલકે માતા અને બંને બાળકોને કચડી નાખ્યા, ત્રણેયના તડપી તડપીને મોત…એક ઝટકામાં આખો પરિવાર સાફ થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*