હે ભગવાન, દયા કરો…વલસાડમાં એક સાથે 24 ગાય માતાઓના મૃત્યુ થયા, ગાય માતાઓ સાથે એવું તો શું થયું હશે કે… ઘટના જાણીને કાળજુ કંપી ઉઠશે…

Published on: 4:50 pm, Mon, 10 October 22

વલસાડમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. વલસાડના ડુંગળી રેલવે સ્ટેશન પાસે એક સાથે 24 ગાય માતાના મૃત્યુ થતાં ચારે બાજુમાંતમ છવાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા ગૌરક્ષકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ટ્રેનની અડફેટેમાં આવી જતા 24 ગાય માતાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ગૌરક્ષક ટીમને નિરીક્ષણ કરતી વખતે રેલવે ટ્રેકની આજુબાજુથી લાકડીઓના ટુકડા મળી આવ્યા હતા. જેથી આ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ડુંગરી પથકના રખડતા પશુઓને ટ્રેનની સામે રેલ્વે ટ્રેક પાસે ખાસ હંકારી લેવાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર વલસાડના ડુંગળી રેલવે સ્ટેશન પાસે રખડતા પશુઓનું ટોળું અચાનક જ રેલવે ટ્રેક પાસે આવી ગયું હતું. આ દરમિયાન રખડતા ઢોરનું ટોળું ટ્રેનની અડફેટેમાં આવી ગયું હતું. ટ્રેનની અડફેટમાં આવી જતા 24 જેટલી ગાય માતાઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.

આ ઘટના બનતા જ સમગ્ર પથકમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને અગ્નિવીર ગૌરક્ષક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ડુંગરી પથકમાં રખડતા પશુનું ટોળું એક સાથે રેલવે ટ્રેક પર આવી જવાની વાત ગૌરક્ષકની ટીમને ગળા નીચે ઉતરતી ન હતી.

જ્યારે અગ્નિવીર ગૌરક્ષક ટીમે આસપાસ નિરીક્ષણ કર્યું ત્યારે કેટલીક લાકડીઓના ટુકડા મળી આવ્યા હતા. એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, અસામાજિક તત્વો દ્વારા ડુંગળી પથકમાં રખડતા પશુઓને ટ્રેનની સામે લાવવામાં આવ્યા હતા.

એક વર્ષ પહેલા પણ જોરવાસણ વિસ્તારમાં આવી ઘટના બની હતી. તે ઘટનામાં કોઈ ચોક્કસ આરોપીને પકડવામાં આવ્યો ન હતો જેના કારણે બીજી વખત આ ઘટના બની હોય તેવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન, દયા કરો…વલસાડમાં એક સાથે 24 ગાય માતાઓના મૃત્યુ થયા, ગાય માતાઓ સાથે એવું તો શું થયું હશે કે… ઘટના જાણીને કાળજુ કંપી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*