હવે સૂંઘવાથી પણ ખબર પડશે કે કોરોના છે કે નહીં , કોને કર્યો આ દાવો

Published on: 11:05 am, Sun, 19 July 20

મોહાલી ની રાષ્ટ્રીય એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો covid 19 ની પ્રાથમિક તપાસ માટે તૈયાર કીટ કરેલ છે . કોરોના રોગચાળાના લક્ષણો ઓફિસો , શોરૂમ અને વ્યવસાયિક સ્થળોની મુલાકાત લેતા લોકોની ગંધ દ્વારા ઓળખી શકાય છે . પીજીઆઇ ચંદીગઢના ડોક્ટરોની ટીમ પણ આ સંશોધનમાં સહયોગ આપી રહી છે . આ કોરોના રેપ ટેસ્ટીંગ કીટ ઘર અને રસોડામાં વપરાયેલી વસ્તુઓમાંથી તૈયાર કરવામાં આવી રહી છે.

નબી વૈજ્ઞાનિકો કોરોના ની પ્રાથમિક તપાસ માટે તૈયાર કરવાનું કામ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો તેમની પારંપરિક સફળતાથી ઉત્સાહિત છે. અંતિમ સંશોધન હજી ચાલુ છે.સફળતા બાદ આ પ્રોજેક્ટને મંજૂરી માટે કેન્દ્ર સરકાર અને આયુષ મંત્રાલય ને મોકલવામાં આવશે . મંજૂરી બાદ વ્યવસાયિક રૂપે બજારમાં આવવામાં છ મહિનાનો સમય લાગશે. આ પ્રોજેક્ટમાં અનેક ડોક્ટરો અને લેબ ટીમ સહિત લોકો કામ કરી રહ્યા છે.

ડો . વિશનોઈ એ જણાવ્યું હતું કે, કીટ તૈયાર કરવા માટે ઘરેલૂ વસ્તુઓ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાંથી મોટા ભાગે રસોડામાં વપરાતા ખાધુ ઉત્પાદનો છે. પારંભિક પરીક્ષણમાં મળી રહેલી ભૂલો પર હવે કામ કરવામાં આવી રહ્યું છે. હવે તેમના શુદ્ધિકરણ સંસ્કરણો લેબમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ પછી કોઈને ટ્રાયલ, મંજૂરી અને કીટના ઉદ્યોગી ઉત્પાદનની સંપૂર્ણ પ્રક્રિયા માં છ મહિના જેટલો સમય લાગી શકે છે.

Be the first to comment on "હવે સૂંઘવાથી પણ ખબર પડશે કે કોરોના છે કે નહીં , કોને કર્યો આ દાવો"

Leave a comment

Your email address will not be published.


*