જય દ્વારકાધીશ : ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકવવા અને આભાર વ્યક્ત કરવા નીતા અંબાણી પહોંચ્યા દ્વારકા, ઠાકોરજીની ચરણપાદુકાનું પૂજન કરીને…

આપણે બધાએ વાતથી અજાણ નથી કે મુકેશ અંબાણીને ત્યાં હાલમાં ખુશીમાં પ્રસન્ન ચાલી રહ્યો છે મતલબ કે જુલાઈ મહિનામાં તેમના દીકરા અનંત અને રાધિકાના લગ્ન છે ત્યારે તેઓએ જામનગર ખાતે ખૂબ મોટું 1,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને

પ્રિ વેડિંગ સેરેમની આયોજિત કરી હતી જેમાં દેશ વિદેશથી મોટા મોટા દિગ્ગજો હાજર રહ્યા હતા ત્યારે જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમની બાદ એક ભવ્ય ડાયરાનું અને સમૂહ ભોજન આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ પૂર્ણ થતા નીતા અંબાણી દ્વારકાધીશ નો આભાર માનવા માટે જગત મંદિરમાં પહોંચ્યા હતા

અને સાંજે ઠાકોરજીના ઉતથાપણ સમયે જગત મંદિરમાં દર્શન કરવા પધાર્યા જ્યાં પૂજારી દ્વારા નીતા અંબાણીને દ્વારકાધીશ ની પાદુકાનું પૂજન કરાવ્યું હતું અને ત્યારબાદ નીતા અંબાણીએ ઠાકોરજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.મિત્રો આપને જણાવી દઈએ કે મોટા ધનિક લોકોને પણ આપણી જેવું જ હોય છે જ્યારે આપણા ઘરે પણ પ્રસંગ સારો એવો પાર પડે ત્યારે

આપણે ઈશ્વરનો આભાર માનતા હોઈએ છીએ તેમ કોકીલાબેન અંબાણી સોમનાથ ગયા હતા અને નીતા અંબાણી દ્વારકા પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ શારદા મઠ માં ચાલતા શ્રીમદ ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી અને ત્યાં વ્યાસપીઠ પર બિરાજીત બ્રહ્મચારી નારાયણ નંદજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા અને આભાર માન્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*