કોરોના ની કહેર વચ્ચે આ રાજ્યની સરકારે લોકો ને આપ્યા રાહત ના સમાચાર

Published on: 3:22 pm, Wed, 16 September 20

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે 2020-21 માટે વ્યાપારી વાહનના વાહનવેરા પર 50 ટકા રાહત આપવાની સરકારે પ્રસ્તાવ જાહેર કર્યો છે. ઉદ્યોગ ના પ્રતિનિધિઓ અને પ્રાદેશિક પરિવહન કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ છૂટ કેવી રીતે આપવામાં આવશે તે હજુ પણ સ્પષ્ટ થયું નથી.

સરકારના પ્રસ્તાવમાં જણાવ્યું છે કે આ રાહતનો લાભ નુર વાહનો, ખાનગી સેવાઓનો વાહનો, પર્યટન વાહનો, ખોદકામ વાહનો, વ્યવસાય શિબિરાર્થી વાહનો અને સ્કૂલ બસો વગેરેને મળશે. આ અંગેનો નિર્ણય ગત મહિને 26 ઓગસ્ટના રોજ રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં લેવાયો હતો.

ઠરાવ મુજબ આ મુક્તિ મેળવવા માટે વાહન માલિકે 31 માર્ચ 2020 સુધીમાં અગાઉના નાણાકીય વર્ષ માટે સંપૂર્ણ કર ચૂકવવો જોઈએ. આ છૂટ 1 એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 સુધી રહેશે. રાજ્ય સરકારે કહ્યું કે તેનાથી રાજ્યના ખજાના ઉપર 700 કરોડ રૂપિયાનું દબાણ આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ની કહેર વચ્ચે આ રાજ્યની સરકારે લોકો ને આપ્યા રાહત ના સમાચાર"

Leave a comment

Your email address will not be published.


*