કોરોના ની કહેર વચ્ચે ગુજરાત ના આ જિલ્લા માટે આવ્યા રાહતના સમાચાર.

ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસો 1300 ને પાર થઈ ગયા છે. ગુજરાતના ડાંગ જિલ્લા માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ડાંગ જિલ્લો ગમે ત્યારે કોરોના મુકત થઇ શકે છે. ડાંગ જિલ્લામાં હવે માત્ર 15 એક્ટીવ કેસો રહ્યા છે તેમજ છેલ્લા પાંચ દિવસથી એક પણ નવા કોરોના ના કેસ નોંધાયો નથી. તેમની સામે છેલ્લા પાંચ દિવસમાં દસ લોકોએ કોરોના મહાત આપી છે.

ડાંગ જિલ્લામાં છેલ્લે 30મી સપ્ટેમ્બરે 3 કેસ નોંધાયા હતા. ડાંગ જિલ્લા માટે મોટી રાહતની વાત એ છે કે,આ જિલ્લામાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું કોરોના થી મોત થયું નથી. ગુજરાતમાં ડાંગ જિલ્લામાં એક માત્ર એવો જિલ્લો છે, જ્યાં કોરોના થી એક પણ વ્યક્તિનું મોત થયું નથી.

ડાંગ પછી સૌથી ઓછા એક્ટિવ કેસો ધરાવતા પોરબંદર , આણંદ,  વલસાડ નો સમાવેશ થાય છે. આ ગુજરાત માટે ખૂબ જ રાહતના સમાચાર છે.

ડાંગ જિલ્લામાં અત્યાર સુધી 91 લોકોએ કોરોના ને મ્હાત આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*