મુકેશ અંબાણી અને આકાશ અંબાણીએ મહાશિવરાત્રીના પાવનપર્વે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, અંબાણીએ સોમનાથ મંદિરમાં આટલા કરોડનું અનુદાન કર્યું…જુઓ વિડિયો…

Published on: 11:03 am, Sun, 19 February 23

મિત્રો તમે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં એક મુકેશ અંબાણીને તો જરૂર ઓળખતા હશો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો દીકરો તથા JIOના ચેરમેન આકાશ અંબાણી ગઈકાલે મહાશિવરાત્રીના પાવનપર્વે સોમનાથ મહાદેવના મંદિરે મહાદેવના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.

મુકેશ અંબાણી પોતાના મોટા દીકરા આકાશ અંબાણી સાથે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. અહીં બંને બાપ દીકરાએ મહાદેવના દરબારમાં શિશ ઝુકાવીને મહાદેવના આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરાઈ હતી.

મુકેશ અંબાણી અને તેમના દીકરાનું સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજ પૂજાના સંકલ્પ કરીને મુકેશ અંબાણી અને તેમનો દીકરો આકાશ અંબાણી પૂજામાં સહભાગી થયા હતા.

ગઈકાલે મહાશિવરાત્રીના પાવનપર્વે વહેલી સવારે જ સોમનાથ મંદિરમાં ભારે ભક્તોની ભીડ ઉમટી આવી હતી. ત્યારે મુકેશ અંબાણી અને તેમનો દીકરો પણ સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને તેમના મોટા દીકરા આકાશ અંબાણીએ મહાશિવરાત્રીના દિવસ પર સોમનાથ મંદિરમાં 1.51 કરોડ રૂપિયાનું અનુદાન પણ કર્યું હતું.

જ્યારે મુકેશ અંબાણી અને તેમનો દીકરો સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા ત્યારે સોમનાથ ટ્રસ્ટ તરફથી પીકે લહેરી ટ્રસ્ટીના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણીએ કરેલા અનુદાનની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહે છે. લોકો તેમના આ કાર્યની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આજથી ઘણા સમય પહેલા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી પણ સોમનાથ મહાદેવ મંદિરમાં મહાદેવના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે તેમને પણ સોમનાથ ટ્રસ્ટમાં કરોડો રૂપિયાનું દાન લખાવ્યું હતું અને ઉપરાંત કેટલીક કિંમતી વસ્તુઓ આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મુકેશ અંબાણી અને આકાશ અંબાણીએ મહાશિવરાત્રીના પાવનપર્વે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, અંબાણીએ સોમનાથ મંદિરમાં આટલા કરોડનું અનુદાન કર્યું…જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*