એક જ દિવસે માતા અને પુત્રીનું મૃત્યુ : વડોદરાની કંપનીમાં થયેલા બોઇલર ધડાકામાં એક માતા અને પુત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો…

Published on: 10:57 am, Sat, 25 December 21

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં કંપનીમાં બોયલર ફાટવાની ઘટનામાં ખંભાતના કાણીસાના માતા અને પુત્ર એ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે કાટમાળ નીચે ચાર કામદારો દબાઈ ગયા હતા અને તેમના મૃત્યુ થયા હતા.

આ ઘટનામાં કંપનીમાં નોકરી કરતા કલ્પેશભાઈ ચૌહાણન પત્ની વર્ષાબેન (ઉંમર 34 વર્ષ) અને તેમની નાનકડી દીકરી રીયા (ઉંમર 4 વર્ષ) નું મૃત્યુ થયું હતું. આ ઘટનાની પરિવારજનોને જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

આ ઘટનામાં કમલેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે તેઓ સારવાર હેઠળ છે. આજરોજ માતા અને પુત્રીના મૃતદેહને ખંભાત લાવીને તેમની અંતિમવિધિ કરવામાં આવશે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે ધડાકો એટલો પ્રચંડ હતો કે, આસપાસના ઉદ્યોગો ધ્રૂજી ઊઠયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનાના કારણે દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટી ગયા તને નજીક આવેલા ઘરમાં દિવાલોમાં પણ તિરાડો થઈ ગઈ હતી.

આ ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકો એકઠા થઇ ગયા હતા. એક જ દિવસે માતા અને પુત્રીનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. કમલેશભાઈ ચૌહાણ પોતાની પત્ની અને પોતાની દીકરી સાથે કાણીસામાં રહેતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક જ દિવસે માતા અને પુત્રીનું મૃત્યુ : વડોદરાની કંપનીમાં થયેલા બોઇલર ધડાકામાં એક માતા અને પુત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*