આમ આદમી પાર્ટી ના ઉપવાસ આંદોલનને કરણી સેના એ કર્યું સમર્થન,રાજ શેખાવતે કર્યું મોટું આહવાન

Published on: 11:34 am, Sat, 25 December 21

ગઈકાલે કરણી સેના ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબ સિંહ યાદવ અને ગુજરાત પ્રદેશ નેતા મહેશ સવાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. કરણી સેના પરિવાર તરફથી ઉપવાસને સમર્થન જાહેર કર્યું છે.

કરણી સેના ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત એ સંદેશો આપતા કહ્યુ કે આ ઉપવાસ એ દરેક વ્યક્તિ નો અધિકાર છે અને નિષ્પક્ષ રીતે અમારું સંગઠન હંમેશા ન્યાય અને અધિકાર માટે સમર્થન આપતું રહ્યું છે

અને તેથી જ વિદ્યાર્થીઓના ન્યાય માટે અમે આ ઉપવાસ ને સમર્થન જાહેર કર્યું છે.તેમને આગળ આસિત વોરા પર કહેતાં કહ્યું કે તેમના કાર્યકાળમાં ઘણા સમયથી ઘણા બધા પેપરો ફૂટી રહ્યા છે

અને તેમની નૈતિક ફરજ બને છે કે તેઓ આ પદ ઉપરથી રાજીનામું આપી દે.તેઓએ વિદ્યાર્થીઓના વળતરની માગણી સાચી ઠેરવતા સંવેદનશીલ સરકારને પણ સંદેશો આપ્યો કે

સંવેદનશીલ સરકાર આની જવાબદારી લેવી જોઈએ અને અસિત વોરાએ સ્વેચ્છિક રાજીનામું આપી દેવું જોઈએ. વિદ્યાર્થીઓના ન્યાય માટે તેઓ એ આ ઉપવાસને સમર્થન જાહેર કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આમ આદમી પાર્ટી ના ઉપવાસ આંદોલનને કરણી સેના એ કર્યું સમર્થન,રાજ શેખાવતે કર્યું મોટું આહવાન"

Leave a comment

Your email address will not be published.


*