વિજય સુવાળા ની હાજરીમાં કોંગ્રેસના 250થી વધુ કાર્ય કર્તાઓ AAP માં જોડાતા હડકંપ…

Published on: 12:13 pm, Tue, 20 July 21

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના ગઢને મજબૂત કરવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત્યારે ગઇકાલે અરવલ્લી જિલ્લાના થરાદ તાલુકાના જામઠા ગામમાં આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.

અહીં આમ આદમી પાર્ટીના નેતા અને સુપ્રસિદ્ધ ગાયક ક્લાકાર વિજય સુવાળા તેમજ પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણી હાજર રહ્યા હતા.

તે દરમિયાન કોંગ્રેસ પક્ષમાંથી પોતાની જવાબદારી છોડીને 250 કરતાં પણ વધારે યુવકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. યુવકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા કોંગ્રેસને સારોએવો ઝટકો લાગ્યો છે.

આ તમામ યુવકો આમ આદમી પાર્ટીના નેતા વિજય સુવાળાના હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના દિવસેને દિવસે આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ વધી રહ્યું છે. આ ઉપરાંત ગઈકાલે પાટીદાર નેતા અને કોંગ્રેસના સસ્પેન્ડ એવા નિખિલ સવાણી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

નિખિલ સવાણી આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, મનોજ સોરઠીયા અને ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબ સિંહ યાદવ ની હાજરીમાં નિખિલ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

નિખિલ સવાણી આમ આદમી પાર્ટીના જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસમાં મહત્વ નહિ મળતું હોવાનો આક્ષેપ પણ લગાવ્યા હતા. નિખિલ સવાણી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વિશ્વાસુ ગણાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "વિજય સુવાળા ની હાજરીમાં કોંગ્રેસના 250થી વધુ કાર્ય કર્તાઓ AAP માં જોડાતા હડકંપ…"

Leave a comment

Your email address will not be published.


*