મોરારીબાપુએ બગોદરા હાઈવે પર મૃત્યુ પામેલા 11 લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી, તમામ મૃતકોના પરિવારજનોને આટલા હજાર રૂપિયાની સહાય કરી…

Published on: 7:26 pm, Sat, 12 August 23

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. ઘણા અકસ્માતો તો એવા હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઊઠે છે. આવી જ એક અકસ્માતની ઘટના બગોદરા માંથી સામે આવી છે. બગોદરા પાસેના મીઠાપુર નજીક હાઇવે અત્યંત કરુણ અકસ્માત થવા પામ્યો હતો.

જેમાં 11 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, આ પરિવારના સભ્યો ચોટીલા માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના થવા પામી હતી, આ અત્યંત કરુણ માર્ગ દુર્ઘટનામાં પીકપ વાનના ડ્રાઇવર સહિત કપડવંજ તાલુકાના સુંણદા ગામના 11 લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા.

પૂજ્ય મોરારીબાપુ તરફથી આ ઘટનામાં પામેલા પરિવારને રૂપિયા 15000 લેખે કુલ મળીને રૂપિયા એક લાખ ૬૫ હજારની સહાય અર્પણ કરવામાં આવી છે. જે નડિયાદ અને કપડવંજ સ્થિત રામકથા શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે.

પૂજ્ય મોરારીબાપુ એ તમામ મૃતકોના નિવારણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલાસો પાઠવ્યો છે. આ અકસ્માતમાં 11 લોકો મૃત્યુ પામ્યા છે જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોરારીબાપુએ બગોદરા હાઈવે પર મૃત્યુ પામેલા 11 લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી, તમામ મૃતકોના પરિવારજનોને આટલા હજાર રૂપિયાની સહાય કરી…"

Leave a comment

Your email address will not be published.


*