ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં વરસાદ…

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર જિલ્લાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ જૂનાગઢ, જામનગર અને રાજકોટ માં અતિ ભારે વરસાદના કારણે અનેક ગામડાંઓમાં નદીના પાણી ઘરમાં ઘૂસી ગયા છે અને લોકો ફસાઇ ગયા છે.

ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 22 તારીખ સુધી રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી ચારથી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સિસ્ટમ મજબૂત થતા ભારતના મધ્ય ભાગો, ઉત્તર મધ્ય ગુજરાત ના ભાગો તેમજ કચ્છના કેટલાક ભાગો અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થવાની શક્યતાઓ. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ડાંગ, વલસાડ અને આહવા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.

જેમાં વરસાદની વાત કરીએ તો તો આગામી સમયમાં આ જ રીતે વરસાદ પડતો રહેતો 98 ટકા જેટલો વરસાદ ની સંભાવના છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી બેથી ત્રણ દિવસમાં જુનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર અને દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યની રેસ્ક્યુ ટીમ અને રાજ્યની પોલીસ વરસાદના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*