ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ની મોટી આગાહી, આ તારીખે રાજ્યમાં ધોધમાર વરસાદ…

Published on: 9:05 pm, Sun, 18 July 21

ગુજરાતમાં છેલ્લા 5-6 દિવસથી મેઘરાજા અનેક વિસ્તારોમાં વરસી ચૂક્યા છે. ત્યારે રાજયમાં ચોમાસાને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં હવેથી બે દિવસ બાદ ચોમાસું ફરી સક્રિય થશે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 21 જુલાઇથી રાજ્ય માં વરસાદ મન મૂકીને વરસ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ ૨૨ જુલાઈથી ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા માં હળવો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને આણંદમાં મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 22 થી 25 જુલાઇ સુધી માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવનાઓ છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપી, ડાંગ, નવસારી, દાદરા નગર હવેલી, વલસાડ અને ભરૂચ માં અતિભારે વરસાદ ની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, પોરબંદર અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત રાજ્યની જનતાને ટૂંક સમયમાં જ બફારાથી મુક્તિ મળી શકે છે. હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં ખેડૂતો માટે ખેતી લાયક વરસાદ પડી શકે છે.

છેલ્લા થોડાક દિવસોથી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે ઉપરાંત વરસાદની આગાહી બાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ખેડૂતો પાક બળી જવાની ચિંતામાંથી મુક્ત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ની મોટી આગાહી, આ તારીખે રાજ્યમાં ધોધમાર વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*