દેવાયત ખવડને લઈને મયુરસિંહ રાણાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું કે દેવાયત ખવડ સાથે સારા સંબંધ હતા પણ તેને…

Published on: 3:41 pm, Mon, 12 December 22

મિત્રો તમે હાલમાં ચર્ચાનો વિષય બનેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડને તો જરૂર ઓળખતા હશે. થોડા દિવસો પહેલા દેવાયત ખવડે પોતાના બે સાથીઓ સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવ લઈને પ્રહાર કર્યા હતા. ત્યારબાદ દેવાયત ખવડ પોતાના સાથીદારો સાથે ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયો હતો.

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે પીડિત મયુરસિંહ રાણાની ફરિયાદના આધારે દેવાયત ખવડ અને તેના સાથીદારો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનાના ઘણા દિવસો થઈ ગયા છતાં પણ હજુ દેવાયત ખવડ હાથમાં આવ્યા નથી.

આટલું જ નહીં પરંતુ જ્યારે પોલીસ દેવાયત ખવડને પકડવા તેના ઘરે પહોંચી ત્યારે તેના ઘર પર તાળું મારેલું હતું અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. અંગત અદાવત વિશે વાત કરતા મયુરસિંહ રાણાએ જણાવ્યું કે, તેના મામા જ્યાં રહે છે ત્યાં પાર્કિંગ બાબતે દેવાયત ખવડ સાથે માથાકૂટ થઇ હતી.

ત્યારે દેવાયત ખવડ સાથે સારા સંબંધ હતા, પણ બીજાનું ઉપરાણું લઈને તેને ઝઘડો કર્યો હતો અને એક પટેલ કે જે દારૂ પી ગયો હતો, તેમને જ્યારે કહેવામાં આવ્યું કે અહીંથી ગાડી હટાવી લો, ત્યારે તેને કહ્યું કે તમારાથી જે થાય એ કરી લો ગાડી તો અહીં જ રહેશે અને જીવ લેવાની પણ ધમકી આપી હતી.

જેના કારણે તેમને પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને પછી પોલીસ તરફથી કોઈ પણ પ્રકારનું એક્શન લેવાયું ન હતું. ત્યાર પછી તો તેને મયુરસિંહ રાણાની નેગેટિવ છાપ ગામમાં ઉભી કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી મયુર સિંહ રાણાએ દેવાયત ખવડને ગાળો આપી હતી. જેથી દેવાયત ખવડે પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો. ત્યારબાદ મયુરસિંહ પોલીસ સ્ટેશનમાં રજૂ થયો હતો અને લીગલી જે પ્રોસેસ થઈ રહી હતી તેમને જામીન પણ અપાયા.

તેઓ કહે છે કે, મેં જે વર્તન કર્યું તેની સજા આપવાનો અધિકાર કોર્ટને છે તેને નથી. આગળ વધુમાં કહ્યું કે દેવાયત ખવડે એફઆઇઆર કરાવી તો તેમના પર જ શક્તિના પગલાં લેવાયા. શું મિત્રો દેવાયત ખવડ સામે કાર્યવાહી થવી જોઈએ કે નહીં અને તેને શું સજા મળવી જોઈએ કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આપજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દેવાયત ખવડને લઈને મયુરસિંહ રાણાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું કે દેવાયત ખવડ સાથે સારા સંબંધ હતા પણ તેને…"

Leave a comment

Your email address will not be published.


*