મહાકાલના દર્શને કરવા ઉજ્જૈન આવેલા 2 જીગરી મિત્રો નર્મદા નદીમાં ડૂબી ગયા… બંનેનું તડપી તડપીને કરુણ મોત…

Published on: 12:20 pm, Mon, 6 November 23

દેશભરના વિવિધ વિસ્તારોમાં ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મધ્યપ્રદેશમાં મહાકાલના દર્શન કરવા આવેલા બે મિત્રોનું નર્મદામાં ડૂબી જવાના કારણે મોત થયું છે.

ઘટના બનતા જ બંને યુવકોના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા બંને યુવકો નોઈડામાં બી ટેકના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. મળતી માહિતી અનુસાર પરિવારના ત્રણ ભાઈઓ મહાકાલ ના દર્શન કરવા માટે ઉજ્જૈન આવ્યા હતા.

અહીં તેઓ ઓમકારેશ્વરમાં જ્યોતિર્લિંગના દર્શન કરતાં પહેલાં નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય એક યુવકનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.

આ દુઃખદ ઘટના રવિવારના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ બની હતી. ઘટનામાં 20 વર્ષના ગુલશન અને 21 વર્ષના હિમાંશુ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બની ત્યારે ગુલશનનો પિતરાય ભાઈ પ્રશાંત પણ ત્યાં હાજર હતો.

આ ઘટનામાં તેનો યોગ્ય સમયે જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ગુલશન અને હિમાંશુના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાયો હતો.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી હાથ ધરી હતી. દિવાળીના તહેવાર પહેલા બે પરિવાર જુવાનજોધ દીકરા ગુમાવ્યા છે. ઘટના બનતા જ પરિવારની દિવાળીઓની ખુશીઓમાં માતમ છવાઈ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહાકાલના દર્શને કરવા ઉજ્જૈન આવેલા 2 જીગરી મિત્રો નર્મદા નદીમાં ડૂબી ગયા… બંનેનું તડપી તડપીને કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*