જય હિન્દ : ચાલતી ટ્રેનમાં CRPFના જવાનનું કરુણ મૃત્યુ, 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 3:35 pm, Tue, 12 April 22

આપણા દેશના જવાનો પોતાના જીવ અને પરીવારની પરવા કર્યા વગર બોર્ડર પર ઊભા રહીને દિવસ-રાત દેશની રક્ષા કરતા હોય છે. ત્યારે મધ્યપ્રદેશમાં ચાલતી ટ્રેનમાં CRPFના જવાનનું કરુણ મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા જવાનું નામ સુરેશ કુમાર સાંસી હતું. મળતી માહિતી અનુસાર સુરેશકુમાર સાંસી રજા પર ટ્રેન દ્વારા પોતાના ઘરે આવી રહ્યા હતા.

આ દરમિયાન ટ્રેનમાં તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતા પરિવારજનો મધ્યપ્રદેશ પહોંચી આવ્યા હતા. સુરેશ કુમારના મૃત્યુના કારણે પરિવાર અને સમગ્ર ગામમાં માતમ છવાઇ ગયો હતો. સુરેશકુમાર 2003માં CRPFમાં ભરતી થયા હતા. સુરેશકુમાર છેલ્લા ત્રણ વર્ષથી જાહેર કરવાની ફરજ બજાવતા હતા.

9 એપ્રિલના રોજ રજા લઈને દેવો ગઈકાલે ટ્રેનમાં પોતાના ગામે આવી રહ્યા હતા. આ દરમિયાન ભોપાલ અને જીદ અચાનક તેમની તબીયત લથડી છે અને આ કારણોસર તેમનું કરૂણ મૃત્યુ થાય છે. સુરેશ કુમાર ના મૃત્યુની જાણ થતા તેમની પત્ની ભાઈ અને અન્ય પરિવારજનો ઈટરસ પહોંચી ગયા હતા.

પોસ્ટમોર્ટમ થયા બાદ સુરેશ કુમારના મૃતદેહને સરકારી સન્માન સાથે ગામમાં લાવવામાં આવશે. સુરેશ કુમારના લગ્ન 2007માં થયા હતા. સુરેશકુમારને ત્રણ બાળકો છે. સુરેશ કુમારના મૃત્યુના કારણે એક દીકરા અને બે દીકરીઓ એ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.

હવે બાળકોને ઉછેરવાની તમામ જવાબદારી સુરેશકુમારના પત્ની પર આવી ગઈ છે. સુરેશ કુમારને ચાર ભાઈઓ અને ચાર બહેનો છે. સુરેશકુમાર થી મોટા બે ભાઈઓનું અવસાન થઈ ચુક્યુ છે અને ગઈકાલે સુરેશ કુમારનું પણ નિધન થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં અને ગામજનો માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જય હિન્દ : ચાલતી ટ્રેનમાં CRPFના જવાનનું કરુણ મૃત્યુ, 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*