ગુજરાતની આ જગ્યાએ શ્રી રાજેશ્વરી સિકોતર માતાજી હાજરા હજૂર પૂરે છે પરચા,દર્શન માત્ર આવવાથી તમારી તમામ મનોકામના થશે પૂરી

Published on: 11:00 am, Wed, 23 March 22

ભારત જેવા ધાર્મિક દેશમાં વર્ષોથી જૂની પરંપરાઓ ચાલતી આવે છે. લોકોને ભગવાન પ્રત્યે ખુબ જ શ્રદ્ધા રહેલી હોય છે. લોકો દુર દુરથી અહીં દર્શન માટે આવતાં હોય છે. ભારતમાં આવેલા દરેક મંદિરોની કંઈક ને કંઈક વિશેષતાઓ રહેલી છે.ભારત માં દરેક લોકો પુરી શ્રદ્ધા થી દેવી દેવતાઓને માને છે.

આજે આપણે આવા જ એક ચમત્કારિક અને વિશ્વાસુ મંદિર ની વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં માતાજી સ્વયં તેમના પરચા બતાવે છે. ડીસાના નાથપુરા મુકામે આવેલું શ્રી રાજ રાજેશ્વરી મા સિકોતેર માતાજીનું મંદિર ખુબ જ પવિત્ર અને ચમત્કારિક છે. આ મંદિરમાં દર્શન કરવા માટે આવતા તમામ ભક્તોની મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે. મંદિરમાં આવતા ભક્તોના તમામ સંકટ દૂર કરીને તેમના જીવનમાં ખુશી લાવી દે છે.

કહેવામાં આવે છે કે માતાજી આજે પણ અહીં અનેક પરચાઓ પૂરા પાડે છે. થોડા સમય પહેલાની જ વાત છે, આ મંદિરમાં એક ચોર ચોરી કરવા માટે ઘૂસેલો હતો. આ ચોર મંદિરમાંથી દસ લાખ રૂપિયાની ચોરી કરીને જતો હતો. પરંતુ મંદિરમાં બિરાજમાન માતાજી એ તેને પૈસા લઈ જવા દીધા ન હતા. તે ચોર બધા જ પૈસા પાછા મૂકીને ચાલ્યો ગયો હતો. આ પરચા બાદ આસપાસના તમામ લોકો પોતાની સમસ્યા લઈને માતાજીના દ્વારે આવે છે. અને માતાજી તમામ ભક્તોની સમસ્યાઓ દૂર કરે છે.

આ ઘટનાની જાણ લોકોને થતા તેમનો માતાજી પ્રત્યેનો વિશ્વાસ ખૂબ જ વધી ગયો હતો. લોકો દ્વારા કહેવામાં આવે છે કે આ મંદિરમાં દેવી હાજરા હજુર બેઠેલા છે. તેમના દર્શને આવતા તમામ ભક્તોના દુઃખો વિશે તેઓ જાણે છે અને તેઓના દુ:ખ દૂર પણ કરે છે. આ જ કારણ છે એ ભક્તોનો તેમના પ્રત્યેનો વિશ્વાસ દિવસે ને દિવસે વધતો જાય છે…

માં સીકોતેરનું આ મંદિર ખુબ જ લોકપ્રિય બન્યું છે. આ ઉપરાંત માતાજીના ઘણા પરચાઓ પણ જોવા મળ્યા છે. આ ભક્તિમય સ્થાનના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડે છે. કહેવાય છે કે સાચા દિલથી પ્રાર્થના કરનારા તમામ ભક્તો ની મનોકામના માતાજી પૂર્ણ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતની આ જગ્યાએ શ્રી રાજેશ્વરી સિકોતર માતાજી હાજરા હજૂર પૂરે છે પરચા,દર્શન માત્ર આવવાથી તમારી તમામ મનોકામના થશે પૂરી"

Leave a comment

Your email address will not be published.


*