કોરોના વાયરસની કહેર વચ્ચે મોદી સરકારે લોન ધારકોને આપી મોટી રાહત, લોન ધારકોને જાણવું જરૂરી

Published on: 5:04 pm, Sat, 3 October 20

કોરોનાવાયરસ ની કહેર વચ્ચે કેન્દ્રની મોદી સરકારે લોન ધારકો માટે મોટી રાહત આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું કે,MSME લોન, શૈક્ષણિક, હોમ, ઓટો, કન્ઝ્યુમર, ક્રેડિટ કાર્ડ બાકી, કનઝપશન લોન પર લાગૂ ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સરકારી સોગંદનામાં અનુસાર છ મહિનામાં લોન મોરેટોરિયમ સમયમાં છે.

2 કરોડ રૂપિયા સુધીની લોન વ્યાજ ના વ્યાજ પર છૂટ આપવામાં આવી છે.કેન્દ્ર સરકારે કહ્યું કે, કોરોનાવાયરસ મહામારીની સ્થિતિમાં વ્યાજ છૂટનો ભાર સરકાર પોતે કરે એ જ માત્ર સમાધાન છે. તેની સાથે જ કેન્દ્ર સરકારે કહ્યું કે, આ માટે પહેલા સંસદની મંજૂરી લેવામાં આવશે. નિર્ણય થી કારણે જનતાની ફાયદો થશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને લોન ધારકોની મદદ કરવાના નિર્દેશ બાદ રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં પેનલની રચના કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કોર્ટમાં પેલા એમ કહ્યું હતું કે, તે વ્યાજ માફ ન કરી શકે અને આ બેંકોને અસર કરશે.

આ મામલે આગામી સુનાવણી પાંચ ઓક્ટોમ્બરના રોજ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના વાયરસની કહેર વચ્ચે મોદી સરકારે લોન ધારકોને આપી મોટી રાહત, લોન ધારકોને જાણવું જરૂરી"

Leave a comment

Your email address will not be published.


*