સુરેન્દ્રનગરમાં પ્રેમી પંખીડાઓએ ઝાડ સાથે દુપટ્ટો બાંધીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 3:32 pm, Thu, 27 January 22

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રેમી પંખીડા હોય ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર પ્રેમી પંખીડાઓએ ગામની સીમમાં વાડીમાં આવેલા એક ઝાડ પર દુપટ્ટો બાંધીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પ્રેમ સંબંધમાં પોતાનું જીવન ટુંકાવ્યું છે. એવું તારણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર ચુડા તાલુકાના મોરવાડ ગામની યુવતી અને ધોળકા તાલુકાના ગાંગડ ગામના યુવકે પ્રેમ સંબંધમાં પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મળતી માહિતી અનુસાર બંનેએ ઝાડ ઉપર દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ તેઓએ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી દીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે બંનેના મૃતદેહ ઝાડ પરથી નીચે ઉતાર્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ બંનેના પરિવારજનોને કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પ્રેમ સંબંધમાં બંનેએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. બંનેના મૃત્યુની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરેન્દ્રનગરમાં પ્રેમી પંખીડાઓએ ઝાડ સાથે દુપટ્ટો બાંધીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*