સુરતમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે સમાધાન કરવા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા મેદાને.

સુરત કોંગ્રેસ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિ માં મુકાઈ ગયું છે.કોંગ્રેસમાંથી ટિકિટ મળી ત્યારે બળદગાડામાં પ્રચાર માટે નિકળેલા પાસ માં કાર્યકર્તા ધાર્મિક માલવિયા અંતિમ ઘડીએ કોંગ્રેસ સામે શિંગડા ભરાવ્યા હતા.સુરતમાં પાસ દ્વારા બે ટિકિટ ની માંગણી કરવામાં આવી હોવા.

છતાં એક જ ટિકિટ મળતા ધાર્મિક માલવિયા એ ઉમેદવારી પરત ખેંચી છે.આગામી સમયમાં પાટીદાર ઉમેદવારો સમર્થન પરત ખેંચી શકે તેવા તખ્તો ઘડાય રહ્યો છે.આ કારણોસર સુરત કોંગ્રેસ ને મોટું નુકશાન થઇ શકે તેમ છે.

ત્યારે આ પરિસ્થિતિમાં કોંગ્રેસ નું ડેમેજ કંટ્રોલ કરવા દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા મેદાને આવ્યા છે.કોંગ્રેસમાં ખળભળાટ વચ્ચે અર્જુન મોઢવાડિયાએ મોટું નિવેદન આપ્યું છે અને તેઓએ જણાવ્યું કે પાસના મિત્રો સાથે થોડી ગેરસમજ થાય છે.

અને આગામી સમયમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો સાથે ચર્ચા કરવામાં આવશે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને તે માટે પ્રયાસ કરીશું અને આ બાબતે ગેરસમજ દુર કરીશું અને મોટું મન રાખી ગેરસમજ દૂર કરવામાં આવશે.

જોકે શંકરસિંહ વાઘેલા મામલે અર્જુન મોઢવાડિયાએ મોહન પાડેલું છે અને શંકરસિંહ વાઘેલા મામલે અમિત ચાવડા અને પ્રભારી સાતવ જવાબ આપશે. આમ આદમી પાર્ટીને કોઈ ફરક નહીં પડે તેવું પણ જાણવા મળ્યું હતું.

હાલમાં સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કોંગ્રેસ વચ્ચે સમાધાન કરવા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા મેદાને ઉતર્યા છે ત્યારે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું પરિણામ આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*