રાજકોટમાં ચાલીને મંદિરે જતી વૃદ્ધ મહિલાને ગાય અડફેટેમાં લીધી… સારવાર મળે તે પહેલા વૃદ્ધ મહિલાનું કરુણ મોત…

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે રખડતા ઢોરના કારણે મોત થવાની વધુ એક ઘટના સામે આવી રહી છે. રાજકોટના કોઠારીયા રોડ પર રખડતા ઢોરે એક વૃદ્ધ મહિલાને અડફેટેમાં લીધી હતી. આ કારણોસર મહિલાનું કરુણ મોત થયું છે.

હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું છે. મૃત્યુ પામેલી વૃદ્ધ મહિલાનું નામ ગોદાવરીબેન હતું અને તેમની ઉંમર 91 વર્ષની હતી. ગોદાવરીબેન રાજકોટના કોઠારીયા રોડ પર હાઉસિંગ બોર્ડ પાસે ચાલીને મંદિરે જતા હતા.

આ દરમિયાન એક ગાયે ગોદાવરીબેનને અડફેટેમાં લીધા હતા. જેના કારણે ગોદાવરીબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતા જ તેમના પુત્ર અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પછી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે ગોદાવરીબેનની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. ત્યારબાદ ગોદાવરીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. પછી પોલીસે સમગ્ર ઘટનાને લઈને પૂછપરછ શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*