રાજકોટમાં ત્રણ બાળકોની માતાએ વહેલી સવારે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું… ત્રણ બાળકો માં વગરના થઈ ગયા…

Published on: 10:39 am, Wed, 12 July 23

છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં સુસાઈડના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. રાજકોટ શહેરના સંત કબીર રોડ નજીક માર્કેટિંગ યાર્ડ પાસે ધરા નગરની ખોલીમાં રહેતી 28 વર્ષની મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

મૃત્યુ પામેલી મહિલાનું નામ રૂબીદેવી ફુલબાબુ યાદવ હતું. આ ઘટના બનતા જ શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલાનો પતિ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વિભાગમાં મજૂરી કામ કરતો હતો. મજુરી કામ કરતો હોવાના કારણે તે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ કામ પર જતો રહેતો હતો.

પિતા કામ પર ગયા બાદ તેના મોટા પુત્રનો સવારે 7:30 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો કે માતાએ ગળાફાંસો ખાઈ લીધો છે. આ વાત સાંભળીને મહિલાનો પતિ તાત્કાલિક ઘરે પહોંચી આવ્યો હતો. ત્યાં સુધીમાં મહિલાના મૃતદેહને નીચે ઉતારી લેવામાં આવ્યું હતું.

આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.  મળતી માહિતી અનુસાર મહિલાના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરાઓ છે. સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

અહીં ઇમર્જન્સી વોર્ડમાં ડોક્ટરે મહિલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બનતા જ ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતી હતી. મહિલાએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. સુસાઇડ પાછળનું કારણ જાણવા માટે પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં ત્રણ બાળકોની માતાએ વહેલી સવારે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું… ત્રણ બાળકો માં વગરના થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*