માતાની બીમારી મટી જાય તે માટે દીકરાએ માં મોગલની માનતા રાખી, માનતા પૂરી થતા 17000 રૂપિયા લઈને મોગલધામ પહોંચ્યા ત્યારે થયું એવું કે…

Published on: 7:11 pm, Sat, 25 June 22

માં મોગલ ના પરચા અપરંપાર છે તમામ ભક્તોની મનોકામનાઓ પણ માં મોગલ પૂર્ણ કરે છે. એટલું જ નહીં પરંતુ સાંભળ્યું છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. જ્યારે પણ ભક્તોને તેમના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેઓ માં મોગલને અચૂક યાદ કરે છે. માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો તે ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

તેથી જ તેમનો મહિમા અપરંપાર રહ્યો છે. માં મોગલ એ આજ દિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું.જેમાં એક યુવક પોતાની માનતા પૂરી થતાની સાથે જ કબરાઉ ધામ માં મોગલ ના આશીર્વાદ લેવા માટે આવી પહોંચ્યો છે.

કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો ભક્તોની બધી જ મનોકામનાઓ માં મોગલ પૂર્ણ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ મોગલ ધામ ના મંદિરે મણીધર બાપુ પણ બિરાજમાન છે,ત્યારે યુવક જ્યારે પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવ્યો હતો.

ત્યારે મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપતા કહ્યું હતું કે બેટા તે શેની માનતા માની હતી. ત્યારે એ યુવકે જણાવ્યું કે તેમની માતા ઘણા સમયથી બિમાર રહેતા હતા. ઘણી જગ્યાએ સારવાર કરાવવી અને છતાંય સારું રહેતું ન હતું.

અંતે માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માની હતી કે તેમની માતાની સારું થઈ જશે તો એ યુવક માં મોગલ ના ચરણે 17 હજાર રૂપિયાનો દાન કરશે. મણીધર બાપુએ આ યુવકને આશીર્વાદ આપતા કહ્યું કે માં મોગલે તારી સો ગણી માનતા સ્વીકારી છે.

વિશેષમાં મણીધર બાપુએ હજારમાં એક રૂપિયો ઉમેરીને યુવકને પાછા આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તું તારી બેનને આપજે માં મોગલ રાજી થશે.માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. અને આ કોઈ ચમત્કાર નથી તમે રાખેલો માં મોગલ પર વિશ્વાસ જે તમને ફળ્યો છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાની બીમારી મટી જાય તે માટે દીકરાએ માં મોગલની માનતા રાખી, માનતા પૂરી થતા 17000 રૂપિયા લઈને મોગલધામ પહોંચ્યા ત્યારે થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*