ગાંધીનગરમાં માત્ર 15 વર્ષની દીકરીએ પોતાની માતા સાથે મળીને પિતાનો જીવ લઈ લીધો, જાણો માં-દીકરીએ આવું પગલું શા માટે ભર્યું…

Published on: 2:50 pm, Fri, 24 June 22

હાલમાં ગાંધીનગરમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરના કોલવડા ગામમાં ઘનશ્યામ પટેલના જીવ લેવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ઘનશ્યામ પટેલનો જીવ તેની પત્ની અને 15 વર્ષની દીકરીએ લીધો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, 15 વર્ષની દીકરીએ તેના પિતાના ગળા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.

જ્યારે ઘનશ્યામ પટેલની પત્ની તેમના માથા કોઈ જોરદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ કારણોસર ઘનશ્યામ પટેલનું કરૃણ મૃત્યુ થયું હતું. જીવ લીધા બાદ માં અને દીકરી કલાકો સુધી ઘનશ્યામ પટેલના મૃતદેહ પાસે બેસી રહ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ઘરકંકાસના કારણે ઘનશ્યામ પટેલનો જીવ લેવામાં આવ્યો છે. હાલમાં તો આ ઘટનાને લઈને આ જ કારણ સામે આવ્યું છે.

આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ગાંધીનગરમાં કોલવડાનાં જશુ પટેલ ભૂતકાળમાં વિશ્વ હિન્દુ પરિષદનો પ્રમુખ હતો. તેઓ માથાભારી શખ્સ તરીકે છાપ ધરાવે છે. જશુ પટેલના બે નાના ભાઈઓ છે. જેમાં એકનું નામ જગદીશ અને એકનું નામ ઘનશ્યામ પટેલ હતું. મળતી માહિતી અનુસાર ઘનશ્યામ પટેલે આશરે 17 વર્ષ પહેલા રિશીતા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા.

આ લગ્નજીવનથી રિશીતાને હાલમાં 15 વર્ષની દીકરી માહી પણ છે. મળતી માહિતી અનુસાર ઘનશ્યામ પટેલનો નશો કરવાની આદતના કારણે ઘરમાં વારંવાર માથાકૂટ થતી હતી. એટલું જ નહીં પરંતુ તે પોતાની પત્ની પર વહેમ રાખીને તેની સાથે ઝઘડો કરતો હતો. લગભગ દોઢ મહિના અગાઉ ઘનશ્યામ પટેલની પત્ની રિશીતા રિસાઈને તેની દીકરીને લઈને પિયર અમદાવાદ જતી રહી હતી.

તેથી ઘનશ્યામ પટેલ એકલો પડી ગયો હતો અને તેને નશો કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ ઘનશ્યામ પટેલ સમાધાન કરીને પોતાની પત્ની અને દીકરીને અઠવાડિયા પહેલા ઘરે લાવ્યા હતા. ત્યારે ઘરે ફરીથી ઘનશ્યામ પટેલ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. જ્યારે ઘનશ્યામ પટેલ ઘરમાં શાંતિથી સૂઈ રહ્યા હતા. આ દરમિયાન તેની રિશીતાએ જોરદાર વસ્તુઓ વડે ઘનશ્યામ પટેલના માથા પર પ્રહાર કર્યા હતા.

ત્યારબાદ માત્ર 15 વર્ષની દીકરીએ ધારદાર વસ્તુઓ વડે પોતાના પિતાના ગળા પર પ્રહાર કર્યા હતા. આ કારણોસર ઘનશ્યામ પટેલનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ માં-દીકરી ઘનશ્યામ પટેલના મૃતદેહ પાસે બેસી ગયા હતા. ત્યારબાદ રિશીતાએ તેના કાકા સસરાને ફોન કરીને ઘરે બોલાવી લીધા હતા.

આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઘર કંકાસને કારણે આ સમગ્ર ઘટના બની છે. પોલીસે ઘનશ્યામ પટેલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું અને ત્યારબાદ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગાંધીનગરમાં માત્ર 15 વર્ષની દીકરીએ પોતાની માતા સાથે મળીને પિતાનો જીવ લઈ લીધો, જાણો માં-દીકરીએ આવું પગલું શા માટે ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*