અમરેલીમાં પત્નીએ પતિને દારૂ પીવાની ના પાડી, ત્યારબાદ પતિએ પત્નીનો લઈ લીધો જીવ – જાણો સમગ્ર ઘટના

Published on: 3:34 pm, Wed, 2 February 22

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા પંથકમાં ગઇકાલે મોડી રાત્રે રાજુલા શહેર નજીક આવેલા ઝાપોદર ગામમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી અનુસાર અહીં એક પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર પત્નીનો જીવ લેનાર પતિનું નામ ભરત વાળા છે.

મળતી માહિતી અનુસાર ભારતની દારૂ પીવાની ટેવ છે. અને વારંવાર તે દારૂ પીને પોતાની પત્ની પર પ્રહાર કરતો અને તેને પરેશાન કરતો હતો. મળતી માહિતી અનુસાર ગઈકાલે પત્ની રેખા દ્વારા ભરતને દારૂ ન પીવાનું કીધું હતું.

ત્યારે આ વાતનું પતિને ખોટું લાગી જાય છે અને તે પોતાની પત્નીનો જ જીવ લઇ લે છે આ ઘટના બન્યા બાદ રાજુલા પોલીસે મૃત્યુ નો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

ઘટનાની ગણતરીની મિનિટોમાં જ આરોપી પતિ ભરતને ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી. આજરોજ પૂછપરછ અને રિમાન્ડ માટે આરોપીની રાજુલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર પતિ પત્નીના ઘરે 6 સંતાન હતા. જેમાં બે પુત્રી અને ચાર પુત્ર છે. માતાના મૃત્યુના કારણે બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમરેલીમાં પત્નીએ પતિને દારૂ પીવાની ના પાડી, ત્યારબાદ પતિએ પત્નીનો લઈ લીધો જીવ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*