મોટા સમાચાર: ગુજરાતના ખેડૂતો માટે આવ્યા મોટા રાહતના સમાચાર,જાણો વિગતે

કોરોનાવાયરસ ના વધતા જતા કેસો વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. રાજ્યમાં આવનારા પાંચ દિવસ સુધી હવામાન વિભાગે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન વિભાગના મત અનુસાર આવતીકાલથી વરસાદનું જોર ઘટયું ની શક્યતા છે જે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ચોમાસુ પૂર્ણ થઇ શકે છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ 134 ટકા નોંધાયો છે.

હવામાન વિભાગના મત અનુસાર દક્ષિણ ગુજરાતમાં નર્મદા ભરૂચ સુરત અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. એક બાજુ હવામાન વિભાગના મત અનુસાર આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે જેથી આવતી કાલથી રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે.

ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના પગલે ઘણા જિલ્લાઓમાં ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકાર દ્વારા 33 ટકાથી વધારે નુકસાન થયું હોય તેવા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે. ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે જાહેર કરવામાં આવેલ સહાય અંગે બાકીના અસરગ્રસ્ત જિલ્લાઓને સમાવેશ કરવા માંગ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*