રાજ્યમાં વરસાદી માવઠા ને લઈને કૃષિમંત્રી આર.સી.ફળદુ એ આપ્યું મહત્વનું નિવેદન, જાણો વિગતે.

Published on: 9:20 pm, Wed, 10 March 21

કૃષિમંત્રી આર.સી.ફળદુ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ 15 ઓક્ટોમ્બર થી 15 નવેમ્બર માં 50 મિલી થી વધુ વરસાદ પડે તો તેને માવઠું ગણાશે.કૃષિમંત્રી આર.સી.ફળદુ અને વિધાનસભામાં મહત્વનું યોગદાન આપ્યું છે અને કહ્યું છે કે 50 મીટર થી વધુ વરસાદ પડે તો તેને માવઠું ગણવામાં આવશે.

15 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધીમાં 50 મિલી મીટર થી વધુ વરસાદને માવઠું ગણાશે તેવું નિવેદન આપ્યું હતું.સમગ્ર દેશ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો ઊંચો રહો હતો.

હવે માર્ચ મહિનાના આગામી દિવસોમાં પશ્ચિમની વિક્ષેપ ની અસર એક પછી એક આવતી રહેશે. જેના લીધે દેશના પશ્ચિમ ભાગોમાં પણ તેની અસર જોવા મળશે. પંજાબ હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના ભાગોમાં 7 માર્ચ થી ભારે હિમવર્ષા, વરસાદ, પવનની ગતિ સાથે ભારે વરસાદની શક્યતા છે.

જેની અસર તળે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે.જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી છે કે, ગલ્ફ ધુલકટ છેક ગુજરાતના કચ્છના ભાગોને પ્રભાવિત કરી શકે છે.

ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં 7 અને 8 માર્ચ વાદળો જોવા મળી રહ્યા હતા અને 15 માર્ચ સુધીમાં રાજ્યમાં હવામાનમાં વાદળ વાયુ અને કવચિત માવઠા જેવું વાતાવરણ બનશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે.

કે એપ્રિલ મહિના માં દેશના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થાય અને તેમજ ગલ્ફ તરફથી આંધી ભર્યા પવન ફૂંકાઈ અને જેના કારણે ઉત્તર ગુજરાત, રાજસ્થાન કેટલા ભાગે ધૂળિયું વાતાવરણ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં વરસાદી માવઠા ને લઈને કૃષિમંત્રી આર.સી.ફળદુ એ આપ્યું મહત્વનું નિવેદન, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*