રાજકોટ થી એસટી બસ ને લઇને આવ્યા મહત્વના સમાચાર, જાણો વિગતે.

Published on: 5:56 pm, Mon, 1 February 21

રાજકોટમાં આજથી રાત્રી કર્ફ્યુ રાત્રે 10 ના બદલે 11 વાગ્યાથી અમલ થતા રાજકોટ એસટી ડિવિઝન, રાજકોટ બસ પોર્ટ તેમજ અન્ય શહેર માંથી આવતી અને રાજકોટથી રાત્રે 10 થી 11 વચ્ચે ઉપાડતી અંદાજ એક ડઝન જેટલી બસો ત્રણ મહિનાના લાંબા સમયગાળા બાદ.

આજથી ફરી રાબેતા મુજબ શરૂ થઈ જશે.રાત્રે 11 થી સવારે 6 સુધીના કર્ફ્યું સમયગાળા દરમિયાન રાજકોટમાં આવતી જતી બસો હવે રાબેતા મુજબ શરૂ થઈ જશે.રાજકોટ એસટી કોર્ટના સિનિયર ડેપો મેનેજર નિશાંત વરમોરા એ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે.

રાજકોટથી દરરોજ રાત્રે 10:30 ઉપાડતી રાજકોટ- નવસારી વાયા વડોદરા,સુરત સ્લીપર કોચ આજથી રાબેતા મુજબ થઈ જશે.ઉપરાંત રાજકોટ થી અમદાવાદ જતી અન્ય આઠ બસ અને ઉત્તર ગુજરાત તરફની.

બસો સહિત ફૂલ એકાદ ડઝન જેટલી બસો આજથી રાબેતા મુજબ અગાઉના નિર્ધારિત સમયે ઉપડશે.ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ વધેલા કોરોના સંક્રમણ ને પગલે રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે.

રાજ્યની રૂપાણી સરકારે રાજ્યમાં રાત્રી કરફ્યુ ને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ છે. રાજ્યમાં પહેલી ફેબ્રુઆરીથી રાત્રી કર્ફ્યુ માં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.

1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી રાજ્યના ચાર મહાનગરોમાં એટલે કે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ માં રાત્રી માં 11 થી સવાર ના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટ થી એસટી બસ ને લઇને આવ્યા મહત્વના સમાચાર, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*