ગુજરાતમાં રસીકરણ મુદ્દે મહત્વની જાહેરાત, જાણો વિગતે.

Published on: 10:34 am, Thu, 20 May 21

ગુજરાતમાં 20 મેના દિવસથી ફરી રસીકરણ શરૂ કરાશે અને નવી માર્ગદર્શિકા પ્રમાણે 85 દિવસ પછી પહેલો ડોઝ લેનારને બીજો ડોઝ આપવામાં આવશે. રાજ્યમાં વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલાઓને આજ સુધી કેસડોલ ચૂકવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

પુખ્ત વ્યક્તિને રૂપિયા સો અને બાળકોને 60 રૂપિયા પ્રતિદિન આપવામાં આવશે. આ ઉપરાંત વાવાઝોડાએ સર્જેલી તબાહી ની સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં ફરી રસીકરણ ની કામગીરી પણ આજથી શરૂ થશે અને 17 મી મે બાદ વાવાઝોડાની સ્થિતિને કારણે રસીકરણ અટક્યું હતું.

નવા દિશાનિર્દેશો પ્રમાણે આજથી ફરી 45 વર્ષથી વધુ વયના બાળકોને રસી આપવામાં આવશે. જ્યારે 18 થી 44 વર્ષના નાગરિકોને રજીસ્ટ્રેશન પ્રમાણે રસી અપાશે.

મુખ્યમંત્રી એ વાવાઝોડાની અસર બાદ ગુજરાતમાં ફરી રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી. ગુજરાતમાં 20 મેથી ફરી રસીકરણ શરૂ થશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યાં પહેલા આશરે 30,000 લોકોનું રસીકરણ થતું હતું ત્યાં હવે 50,000 લોકો નું રસીકરણ કરવામાં આવશે. સાથે કહ્યું કે નવી માર્ગદર્શિકા ના આધારે પ્રથમ ડોઝ લીધા પછી ના 85 દિવસ પછી બીજો ડોઝ આપવામા આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં રસીકરણ મુદ્દે મહત્વની જાહેરાત, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*