જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરીશું : અરવિંદ કેજરીવાલ

Published on: 4:55 pm, Tue, 20 September 22

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજરોજ વડોદરા ની મુલાકાતે આવ્યા હતા અને બપોરે 1:00 વાગ્યાની આસપાસ તેઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત સેકડો કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ વડોદરામાં એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા અને સંબોધતા જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના સરકારી કર્મચારીઓ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તમામ સરકારી કર્મચારીઓ ખૂબ જ દુઃખી છે અને ખૂબ જ ગુસ્સે છે અને સેકેતરિતનો જે રીતે ઘેરાવ કરવામાં આવ્યો હતો ને આટલી

મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી રહ્યા હતા તે પહેલીવાર જોયું છે.તેમની મુખ્ય માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે અને હું તમામ મિત્રોને આશ્વાસન આપું છું કે હું ગેરંટી આપું છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે ગુજરાતની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરીશું. ગઈકાલે પંજાબના મુખ્યમંત્રીએ

જાહેર કર્યું કે તેમને જૂની પેન્શન યોજના લાગુ કરવાના આદેશ આપી દીધા છે અને જેમ અમે પંજાબમાં અને અમલ કરવા જઈ રહ્યા છીએ તેવી જ રીતે ગુજરાતમાં પણ જૂની પેન્શન યોજના લાગુ કરીશું અને હું તમામ સરકારી કર્મચારીઓને વિનંતી કરું છું કે તમારી લડત ચાલુ રાખો જો આ સરકાર કરી આપે તો સારું છે અને જો સરકાર નહીં કરે તો અમારી સરકાર બન્યા પછી તમને કરી આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરીશું : અરવિંદ કેજરીવાલ"

Leave a comment

Your email address will not be published.


*