રાજકોટમાં બનેલી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ પોતાની પત્નીનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો છે. આ ઘટના રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર લક્ષ્મીવાડી ના ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા એક પતિ ગઈકાલે બપોરે ધારદાર વસ્તુ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
ત્યાં જઈને તેને કીધું હતું કે મેં મારી પત્નીનો જીવ લઈ લીધો છે. ઉપરાંત તેને જણાવ્યું કે રસોઈની બાબતે માથાકૂટ થતાં મેં મારી પત્ની નો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર આરોપી પતિ છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીની દવા પણ લે છે.
મળતી માહિતી અનુસાર ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા કમલભાઈ નામના એક વ્યક્તિએ સોમવારના રોજ બપોરે પોતાની પત્ની ક્રિષ્નાબેન રાણીંગા(ઉંમર 45 વર્ષ)નો ધારદાર વસ્તુ વડે જીવ લઇ લીધો હતો.
આ ઘટના બનતા જ આસપાસ રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ક્રિષ્ના બેનને તાત્કાલિક ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડયા હતા.
જ્યારે બીજીબાજુ પતિ કમલભાઈ ધારદાર વસ્તુ સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સામેથી રજૂ થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર કમલે રસોઈની બાબતે થયેલી માથાકૂટને લઈને પોતાની પત્નીનો જીવ લઈ લીધું હતો.
તેને પોલીસ સ્ટેશનમાં સામેથી કહ્યું હતું. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને કમલ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "રસોઈ સારી ન બનાવતા પતિએ પત્નીનો લીધો જીવ : રાજકોટમાં પતિએ ધારદાર વસ્તુ વડે પત્નીનો જીવ લઈ લીધો, ત્યાર પછી પોલીસ સ્ટેશન પહોંચ્યો…"