મહુવાના ધારાસભ્ય ને પોતાના મિત્ર ના મોત નું સ્વપ્નું આવ્યું અને તેઓ મળવા ગયા અને વાત કરી અને પછી થયું એવું કે…

Published on: 12:14 pm, Tue, 11 January 22

મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાએ અનોખો દાવો કર્યો છે કે પોતાના મિત્ર નું મૃત્યુ અંગે તેઓ ને સપનું આવ્યું હતું. સપનામાં મિત્ર રના ભાઈ પોતે મૃત્યુ પામી ધામમાં જવાની વાત કરી હોવાનો દાવો કર્યો હતો જે બાદ ધારાસભ્ય મોહન પોતાના મિત્રના ઘરે જઈને મુલાકાત કરી હતી અને બીજા દિવસે મિત્ર રનાભાઈ નું મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટના અંગે મોહનભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.તેઓએ ગુજરાતની VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારા વ્યસ્ત કાર્યક્રમને કારણે થોડો થાકેલો હતો અને મને ઊંઘ આવતી હતી

એટલે હું દસ મિનિટ આડા પડખે થયો અને નાનકડી ઊંઘ માં સ્વપ્નું આવ્યું કે મારા મિત્ર રાણાભાઇ મને એમ કહેતા હતા કે હું હવે સ્વામિનારાયણ બાપાને ત્યાં જવાનો છું. એવું તે સતત બોલતા હતા એટલે હું એકદમ જાગી ગયો. આ બધું લગભગ સાંજના ચાર વાગ્યા આસપાસ બન્યું હતું.

પછી હું આ રનાભાઈ ને મળવા ગયો. ત્યાં જઈને રનાભાઈ ને પૂછ્યું કે શું કરો છો તો સામેથી જવાબ આવ્યો કે હું તારી રાહ જોતો હતો.

મેં પૂછ્યું કે કેમ રાહ જોતા હતા તો એમને એ જવાબ આપ્યો કે હું બાપા ને ત્યાં જવાનો છું. અને પછી મને સવારે 6 વાગ્યે ખબર પડી કે મિત્ર રનાભાઇ હવે નથી રહ્યાં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહુવાના ધારાસભ્ય ને પોતાના મિત્ર ના મોત નું સ્વપ્નું આવ્યું અને તેઓ મળવા ગયા અને વાત કરી અને પછી થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*