ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી મુદ્દે અલ્પેશ કથીરીયાએ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

Published on: 5:03 pm, Thu, 15 July 21

જેલમાંથી મુક્ત થતા અલ્પેશ કથિરિયાએ કહ્યું કે આટલા સમય બાદ બહાર આવ્યો છું. ત્યારે સામાજીક રીતે તમામ લોકોને મળીને ત્યારબાદ અમે આગળની રણનીતી ના મુદ્દા પર ચર્ચા કરીશું આ ઉપરાંત તેમને દરેક નો આભાર માનતા દરેક તમારા શહેર ભાઈબંધું છે તેવું જણાવ્યું હતું.

આજરોજ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા જેલમાંથી મુક્ત થયા છે. ત્યારે અલ્પેશ કથીરિયાએ ગુજરાતમાં પાટીદાર પાટીદાર સીએમ અંગે આપ્યું મહત્વનું નિવેદન કહ્યું કે તમામ સમાજની લાગણીઓ હોય છે કે, તેમના સમાજમાંથી મુખ્યમંત્રી બનવું જોઈએ.

પરંતુ હું માનું છું કે ગુજરાતની ગાદી પર ઈમાનદાર અને સૌને ન્યાય આપી શકે એવા પ્રકારના વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવો જોઈએ.

ઉપરાંત નરેશ પટેલે આમ આદમી પાર્ટીની પ્રશંસા કરી હતી અલ્પેશ કથીરિયાએ આ મુદ્દે કહ્યું કે તમામ પાર્ટી ગુજરાત માટે પોતાનું વિઝન ક્લિયર કરે છે.

આ ઉપરાંત જેલમાંથી બહાર આવતા અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે હું તમામ લોકોનો આભાર માનું છું. મારા માટે લડત કરનાર તમામ લોકો, પરિવાર અને વકીલ ટીમનો આભાર વ્યક્ત કરું છું.

આ ઉપરાંત પાસ ને લઈને આગામી રણનીતિ અંગે પણ અલ્પેશ કથિરિયાએ કહ્યું કે જે યુવાનોને પર આંદોલન વખતે કેસ થયા હતા તેમને મુક્ત કરવાની અમારી માંગણી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી મુદ્દે અલ્પેશ કથીરીયાએ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?"

Leave a comment

Your email address will not be published.


*