ગુજરાતી લોકગાયકા કિંજલ દવે પોતાના 24 માં જન્મદિવસે કર્યું એવું કામ કે…સાંભળીને તમે પણ તેમની વાહ વાહ કરશો…

Published on: 3:06 pm, Thu, 24 November 22

મિત્રો તમે બધા ગુજરાતી લોકગાયકા કિંજલ દવેને તો જરૂર ઓળખતા હશો. કિંજલ દવેના માત્ર ગુજરાતમાં આજે નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ તેમના મોટી સંખ્યામાં ચાહકો છે. મિત્રો તમને જણાવી દઈએ કે આજે કિંજલ દવેનો 24 મો જન્મદિવસ છે. હજારો લોકોએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આપણે ઘણા એવા લોકોને જોયા હશે જેવો જન્મદિવસના દિવસે કાર, બાઈક અથવા તો અન્ય વસ્તુઓ ખરીદતા હોય છે.

અથવા તો મોટી મોટી પાર્ટી રાખીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. પરંતુ કિંજલ દવે પોતાના 24માં જન્મદિવસની કંઈક એવું કામ કર્યું છે કે આ કામ વિશે સાંભળીને તમે પણ તેમની વાહ વાહ કરશો. દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓ પોતાના જન્મદિવસના દિવસે ગરીબ લોકોને જમાડતા હોય છે અથવા તો કોઈ સેવાકીય સંસ્થામાં દાન કરતા હોય છે.

ત્યારે ગુજરાતી લોકગાયકા કિંજલબેન દવે પોતાના જન્મદિવસના દિવસે પોતાનો ગૌ પ્રેમ બતાવ્યો છે. મિત્રો તમને જણાવી દે કે કિંજલબેન દવે પોતાના 24માં જન્મદિવસના દિવસે શ્રી હરિ ઓમ ગૌશાળા અનાવાડામાં એક વર્ષ માટે 24 ગૌ માતાને દતક લઈ 1,71,000 નું દાન કર્યું છે.

તેમને પોતાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગૌમાતાને આ રકમ ભેટમાં આપી છે. મિત્રો કિંજલ દવેના આ ખૂબ જ સરસ કામની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયામાં ચારે બાજુ ચાલી રહે છે. પોતાના જન્મદિવસના દિવસે ગૌ માતા માટે દાન કરીને કિંજલ દવેએ પોતાનો ગૌ પ્રેમ બતાવ્યો છે.

ત્યારબાદ શ્રી હરિ ઓમ ગૌશાળા પરિવાર વતી કિંજલબેન દવેને જન્મદિવસની શુભકામનાઓ પણ આપવામાં આવી હતી. તેમને એક કાર્ડ બનાવીને કિંજલબેન દવેને શુભકામના આપતા લખ્યું હતું કે પૂજનીય ગૌમાતા આપને દીર્ઘાયું આપે અને આપની સર્વની મનોકામનાઓ પૂર્ણ કરે.

મિત્રો આ વાતની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયામાં ચારેય બાજુ ચાલી રહે છે અને લોકો ચારેય બાજુ કિંજલબેન દવેના આ કાર્યના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. તેમને પોતાના જન્મદિવસના દિવસે કોઈ આડાઅવળો બીજો ખર્ચો ન કર્યો અને ગૌમાતા માટે દાન આપીને પોતાનો ગૌ પ્રેમ બતાવ્યો હતો. મિત્રો કિંજલબેન દવેના આ કાર્ય વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતી લોકગાયકા કિંજલ દવે પોતાના 24 માં જન્મદિવસે કર્યું એવું કામ કે…સાંભળીને તમે પણ તેમની વાહ વાહ કરશો…"

Leave a comment

Your email address will not be published.


*