ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર: મગફળીની ખરીદી ને લઈને આવ્યા સારા સમાચાર

રાજ્યના ખેડૂતો માટે રાતના સમાચાર આવ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદી ને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મગફળી ખરીદી ને લઈને અન્ન પુરવઠા મંત્રી જયેશ રાદડીયા જાહેરાત કરી છે. રાજ્યમાં લાભપાંચમથી મગફળીની ખરીદી ની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યમાં મગફળીની ખરીદી નાગરિક પુરવઠા નિગમ ખરીદી કરશે.

રાજ્યમાં આજે યોજાયેલી કેબિનેટ બાદ જયેશ રાદડિયાએ મગફળીની ખરીદી ને લઈને મોટી જાહેરાત કરી હતી. જયેશ રાદડિયાએ કહ્યું કે રાજ્યમાં લાભપાંચમથી મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ખેડૂતોને મુશ્કેલી ના પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યમાં નાગરિક પુરવઠા નિગમ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે.

રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદી પ્રતિ મણ ₹1055 ના ભાવે થશે. પુરવઠા નિગમ માં ખરીદી માટે પૂરતો સ્ટાફ અપાશે. મગફળીની ખરીદી ને લઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.આ અંગે મહેસુલ વિભાગના અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*