નવરાત્રી ને લઈને અમદાવાદીઓ માટે આવ્યા સારા સમાચાર, જાણો વિગતવાર

ઓક્ટોબર મહિનાની 17મી તારીખે નવરાત્રી શરૂ થવાની છે. નવરાત્રી એટલે મા અંબે ની આરાધના કરવાનાં દિવસો. નવરાત્રિમાં અનેક ભક્તો માતાના દર્શન કરવા મંદિરમાં જતા હોય છે. આ વખતે નવરાત્રી ને લઈને અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના કાળ દરમિયાન અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રહેવાના છે. નગર દેવીમાં ભદ્રકાળીનું મંદિર નવરાત્રિમાં ખુલ્લુ રાખવામાં આવશે.આ વખતે નવરાત્રિમાં દર્શનાર્થીઓ માં ભદ્રકાળી ના દર્શન કરી શકશે.

નવરાત્રિમાં ભક્તો માટે નગર દેવીનું મંદિર ખુલ્લું રહેશે તે જાણીને દરેક લોકોને ઉત્સાહ ફેલાઇ ગયો છે. જોકે, નગર દેવી માં ભદ્રકાળી મંદિર ને સરકારની ગાઈડ લાઈન મુજબ ખુલ્લુ રાખવામાં આવશે. નગર દેવીનું મંદિર કોરોના કાળ દરમિયાન લગાવેલા લોકડાઉન માં લાંબો સમય સુધી બંધ કરવામાં આવ્યું હતું. આ બાદ મંદિર ખુલતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

જોકે, મંદિર પ્રશાસન સામે નવરાત્રિમાં ભક્તોનું મેનેજમેન્ટ કરવું આકરું બની રહેશે.નવરાત્રીના નવ દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં આવતા હોય છે. તેમજ મંદિર પણ મુખ્ય બજારની વચ્ચે હોય છે.

તો આવામાં કોરોના ગાઈડ લાઈન ફોલો કરવી મહત્વની છે નહિતર કોરોના નું સંક્રમણ ભકતોમાં પણ વધી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*