નવરાત્રી ને લઈને ગાંધીનગર કલેક્ટરે આયોજન અંગે આપ્યું મહત્વનું નિવેદન,જાણો વિગતે

કોરોનાવાયરસ નું સંક્રમણ ન ફેલાય તે માટે ચાલુ વર્ષે નવરાત્રિમાં મોટા ગરબાનું આયોજન થઈ શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે આ મામલે ગાંધીનગરના કલેક્ટર આયોજન મુદ્દે નિવેદન આપ્યું હતું. ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મળે છે જેનો અભ્યાસ હાલમાં અમે કરી રહ્યા છે.બીજી તરફ હજુ રાજ્ય સરકારની માર્ગદર્શિકા આવી નથી.

અનેહજુ મોટા ગરબાના સંચાલકોએ પરવાનગી માંગી નથી અને અમે આપી પણ નથી.તહેવારને ધ્યાનમાં રાખીને સરકારે અંતિમ નિર્ણય કરશે તેમ કલેકટર કુલદીપ આર્યાએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની SOP અમને મળે છે અને જેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં કોરોના ની સ્થિતિ ને ધ્યાનમાં રાખી અંતિમ નિર્ણય રાજ્ય સરકાર તહેવારોને લઈને કેટલી છૂટ આપવી તે લેશે.

નવરાત્રી અંગે ગાંધીનગર કલેકટર દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*