ગુજરાતમાં નવરાત્રીના લઈને નીતિન પટેલે આપ્યુ મહત્વપૂર્ણ નિવેદન, ગરબાના રસિકો માટે સૌથી મોટા રાહત ના સમાચાર,જાણો

Published on: 4:24 pm, Sun, 4 October 20

હાલમાં કોરોના કહેર વચ્ચે નવરાત્રિને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોરોનાવાયરસ ના વધતા જતા કેસોને લઈને સરકારે હજી સુધી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. ગરબા ના ચાહકો માટે મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર મળી શકે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નવરાત્રી ને લઈને મોટું નિવેદન આપ્યું છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું.હાલ સરકાર શેરીગરબા અંગે મંજૂરી આપવા માટે વિચારણા કરી રહી છે.

200 લોકો ની શરત સાથે ગરબા ની મંજૂરી આપવામાં આવે તે અંગે હાલ સરકાર વિચારણા કરી રહી છે. કેન્દ્ર સરકાર ની અનલૉક 5 ની ગાઈડ લાઈન મુજબ છૂટછાટ મળી શકે છે તેવા સંકેત નીતિન પટેલે આપ્યા હતા. જોકે,પાર્ટીપ્લોટમાં થતા મોટા કાર્યક્રમો પર રોક લગાવવામાં આવી શકે છે.

ગુજરાતના ડોક્ટરો સરકારને નવરાત્રી ની પરમીશન ન આપવા માટે વારંવાર વિનંતી કરી રહ્યા છે. હાલમાં યુવા વર્ગ ગરબા રમવા માટે ખુબ જ આતુર છે. નીતિન પટેલે શેરી ગરબાને મંજૂરી આપવાના સંકેત આપ્યો છે.

હાલમાં અમુક લોકો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવરાત્રિનું આયોજન ન કરવું જોઈએ તેવો મત દર્શાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારોગુજરાતમાં નવરાત્રીના લઈને નીતિન પટેલે આપ્યુ મહત્વપૂર્ણ નિવેદન, ગરબાના રસિકો માટે સૌથી મોટા રાહત ના સમાચાર,જાણો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં નવરાત્રીના લઈને નીતિન પટેલે આપ્યુ મહત્વપૂર્ણ નિવેદન, ગરબાના રસિકો માટે સૌથી મોટા રાહત ના સમાચાર,જાણો"

Leave a comment

Your email address will not be published.


*