અમદાવાદમાં પિતા અને પુત્રએ પોતાનું જીવન ટુંકાવ્યું, જાણો શા માટે કર્યું આવું…

Published on: 4:31 pm, Wed, 8 September 21

આજકાલ જીવન ટૂંકુ કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તેવી ઘટના અમદાવાદની સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં પિતા અને પુત્રએ પોતાનું જીવન ટૂંકું કર્યું છે. આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ઉપરાંત પોલીસને પ્રાથમિક તપાસમાં એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. મળતી માહિતી અનુસાર પુત્રના જીવન ટૂંકું થવાની જાણ થતાં. બીજા દિવસે મૃત્યુ પામેલા પુત્રને પિતાએ પણ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના અમદાવાદ શહેરના બોપલ વિસ્તારની છે. પિતા અને પુત્રનું એક સાથે જ મૃત્યુ થઈ જતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

મળતી માહિતી મુજબ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા સાવરકુંડલાના પિતા અને પુત્રનાં પોતાના જીવ ટૂંકો કરવાની ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી અનુસાર પુત્રએ પાંચ સપ્ટેમ્બરના રોજ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

મૃત્યુ પામેલા યુવકનું નામ અલ્પેશ હતું. ઉપરાંત પુત્રએ એક ચિઠ્ઠીમાં લખ્યું હતું કે “હું મારી મરજીથી મારા અંગત કારણોસર આ પગલું ભર્યું છું” આ ઉપરાંત પોલીસે કોઈને પણ હેરાન ન કરવા તેવો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ બીજા જ દિવસે પુત્રના પિતા બળવંતભાઈએ પણ પોતાનો જીવ તો કર્યો હતો.

મળતી માહિતી અનુસાર પિતા અને પુત્રના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા છે. જ્યારે પરિવાર અમદાવાદ પરત ફરશે ત્યારે પોલીસ દ્વારા ફરીથી પરિવારના સભ્યો નું નિવેદન સાંભળીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં પિતા અને પુત્રએ પોતાનું જીવન ટુંકાવ્યું, જાણો શા માટે કર્યું આવું…"

Leave a comment

Your email address will not be published.


*