ભાવનગરના તળાજામાં બાઇક પર જઈ રહેલા પિતા-પુત્ર પર બે અજાણ્યા વ્યક્તિઓએ પિસ્તોલ વડે પ્રહાર કર્યા – પુત્રનું કરૂણ મૃત્યુ…

Published on: 4:22 pm, Sat, 28 May 22

ભાવનગરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભાવનગરના તળાજામાં ધોળા દિવસે પિસ્તોલ વડે પ્રહાર કરીને એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતાં સમગ્ર પંથકમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર બાઈક પર જય રહેલા પિતા-પુત્ર પર બે અજાણ્યા વ્યક્તિઓ પિસ્તોલ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં પુત્રનું મૃત્યુ થયું હતું. જ્યારે પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર તળાજાના દેવલી ગામે રહેતા દેવીપૂજક દેવાભાઈ બચુભાઈ વાઘેલા અને તેમનો દીકરો મુકેશભાઈ દેવાભાઈ વાઘેલા કોઈ કામથી બાઈક પર સવાર થઈને બહાર નીકળ્યા હતા. મળતી માહિતી અનુસાર તેઓ વેળાવદરની શેત્રુંજી નદીના પુલ વચ્ચે નેશનલ હાઈવે પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા યુવકો પિતા અને પુત્ર પર પ્રહાર કરીને તેમને જમીન પર પછાડી દે છે.

ત્યારબાદ પોતાની પાસે રહેલી પિસ્તોલ વડે બન્ને પર પ્રહાર કરે છે. ત્યારે પિતા અને પુત્ર પોતાનો જીવ બચાવવા માટે શેત્રુંજી નદીના પટ બાજુ દોડે છે. પરંતુ અજાણ્યા બંને યુવકો પિતા અને પુત્રનો પીછો કરે છે અને પિસ્તોલ વડે તેમના પર પ્રહાર કરે છે. ત્યારબાદ બંને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

આ ઘટનામાં પિતા અને પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે તળાજા અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પુત્ર મુકેશ વાઘેલાનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

જ્યારે હાલમાં પિતા દેવાભાઈની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં સમાજના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને બંને અજાણ્યા યુવકની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગરના તળાજામાં બાઇક પર જઈ રહેલા પિતા-પુત્ર પર બે અજાણ્યા વ્યક્તિઓએ પિસ્તોલ વડે પ્રહાર કર્યા – પુત્રનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*