ભારત દેશમાં છેલ્લા એક વર્ષથી ખાદ્યતેલના ભાવમાં થઇ રહ્યો છે વધારો, જાણો વિગતે.

Published on: 3:03 pm, Sat, 5 June 21

દેશમાં એક વરસથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં ખાદ્યતેલના ભાવમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો નથી. છેલ્લા 11 વર્ષની તુલનામાં દેશમાં સૌથી વધારે તેલના ભાવમાં ઉછાળો થયો છે. સરસવના તેલના ભાવમાં લગભગ 44 ટકાનો વધારો થયો છે.

આ ઉપરાંત સૂર્યમુખીના તેલમાં 50 ટકાનો વધારો થયો છે. 28મીના રોજ એક લીટર સરસવ તેલ ની કિંમત 118 હતી. દેશમાં છેલ્લા એક વર્ષમાં તેલના ભાવમાં 20 થી 56 ટકાનો વધારો થયો છે. દેશમાં કોરોનાવાયરસ ની સાથે સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં.

પણ ખાદ્યતેલના ભાવમાં કોઈપણ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો નથી સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે. દેશના તેલના કુલ વપરાશમાં 56 ટકા ભાગ ની આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સતત છેલ્લા કેટલાક મહિનાથી ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

SEAI જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી વનસ્પતિ તેલ માંથી બાયો ફ્યુઅલ બનાવવા માટે આપવામાં આવી રહ્યો છે. તેના કારણે દેશમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અમેરિકા અને બ્રાઝિલમાં સોયાબીનની તેલમાંથી રિન્યુબલ બનાવવામાં ભાર આપી રહ્યા છે.

ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પામ ઓઇલ પરની નિકાસ ચાર્જ સામેલ છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાદ્યતેલના ભાવ ઘટવાનું મુખ્ય કારણ ચીન દ્વારા ખરીદી, મલેશિયામાં મંજૂરી મામલે પામ અને સોયાબીન નું ઉત્પાદન ના લીધે ખૂબ જ ખરાબ અસર પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારત દેશમાં છેલ્લા એક વર્ષથી ખાદ્યતેલના ભાવમાં થઇ રહ્યો છે વધારો, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*