વડોદરાથી 5 દિવસ પહેલા અમદાવાદમાં અભ્યાસ કરવા આવેલા ડોક્ટરે પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 10:43 am, Thu, 12 May 22

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે અમદાવાદમાં એક ડોક્ટરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં PG હોસ્ટેલના રૂમમાં આંખ વિભાગમાં અભ્યાસ કરતા ઇન્ટર્ન ડોક્ટરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મળતી માહિતી અનુસાર ડોક્ટર 5 દિવસ અગાઉ વડોદરાથી રિ-સફલ થઈને અમદાવાદ ભણવા આવ્યા હતા. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ડોક્ટરનું નામ સચિન ચૌધરી હતું.

મળતી માહિતી અનુસાર ડોક્ટર સચિન ચૌધરી સિવિલ હોસ્પિટલમાં આંખ નો અભ્યાસ કરવા માટે વડોદરાથી 5 દિવસ પહેલા આવ્યા હતા. ડોક્ટર સચિને ચૌધરીએ બપોરના સમયે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ડોક્ટર સચિન ચૌધરી ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યું હતું. આ ઘટનાની જાણ થતાં FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર ડોક્ટર સચિન ચૌધરી એ બીજાની રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસને મૃત્યુ પામેલા ડોક્ટર સચિન ચૌધરી પાસેથી કોઇપણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. ડોક્ટર સચિન ચૌધરીએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે આ સમગ્ર મામલાને લઇને તપાસ હાથ ધરી છે.

આ ઘટના બનતા જ ડોક્ટર સચિને ચૌધરીના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર દેશમાં છેલ્લા દસ વર્ષમાં 358 ડોક્ટરે પોતાનું જીવન ટુંકાવ્યું છે. ગુજરાતમાં સરેરાશ દર વર્ષે 5 ડોક્ટર પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરાથી 5 દિવસ પહેલા અમદાવાદમાં અભ્યાસ કરવા આવેલા ડોક્ટરે પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*