દેવાયત રાજકોટથી તડીપાર…72 દિવસના જેલવાસ બાદ એક શરત પર હાઈકોર્ટ દેવાયત ખવડની જામીનની અરજી મંજૂર કરી…

Published on: 1:09 pm, Tue, 28 February 23

મિત્રો ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડ ને તો તમે જરૂર ઓળખતા હશો. આજથી ઘણા સમય પહેલા દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યાર પછી દેવાયત ખવડ દસ દિવસ સુધી ફરાર રહ્યા બાદ સામેથી જ પોલીસની સમક્ષ રજૂ થઈ ગયા હતા. ત્યારે હવે દેવાયત ખવડના કેસને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

મયુરસિંહ રાણા ઉપર જીવલેણ પ્રહાર કરવાના કેસમાં સંડોવાયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડના જામીન હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ એક શરત સાથે દેવાયત ખવડને જામીન આપવામાં આવી છે. દેવાયત ખવડને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવી છે.

72 દિવસ સુધી જેલવાસ ભોગવ્યા બાદ હવે દેવાયત ખવડની જામીન મંજૂર થઈ ગઈ છે. જોકે આ પહેલા જ્યારે દેવાયત ખવડના વકીલ દ્વારા વચગાળાની જામીન માટે અરજી કરવામાં આવી ત્યારે એ ડિવિઝન પોલીસના કપાસના અધિકારી દ્વારા અભિપ્રાય નકારાત્મક આપવામાં આવ્યો હતો. જેના કારણે કોટે દેવાયત ખવડની જામીન ફગાવી દીધી હતી.

જેના કારણે લોકસાહિત્યકાર દેવાયત ખવડને શિવરાત્રી પણ જેલમાં જ કરવી પડી હતી. ત્યારે હવે આગામી દિવસોમાં ધુળેટીનો તહેવાર દેવાયત ખવડ જેલમાં નહીં પસાર કરે પરંતુ દેવાયત ખવડને ધૂળેટી રાજકોટ શહેરની બાર મનાવી પડશે. મિત્રો તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 19 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ અને તેમના અન્ય બે સાથીદારોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 307 હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી પરંતુ કોટે ત્રણેય આરોપીઓને જેલમાં ધકેલી દીધા હતા. ત્યારબાદ દેવાયત ખવડના વકીલ દ્વારા ઘણી વખત જામીન માટે અરજી કરવામાં આવી હતી.

પરંતુ દરેક વખતે કોર્ટ દેવાયત ખવડની જામીનની અરજીને નામંજૂર કરતો હતો. ત્યારે હવે છ મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત પર દેવાયત ખવડની જામીનની અરજી મંજૂર કરવામાં આવી છે. જામીનની અરજી મંજૂર થતા જ લોકો વચ્ચે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમકે હવે દેવાયત ખવડ શું ડાયરા કરશે અને જો ડાયરા કરશે તો શું લોકો તેમના ડાયરામાં જશે?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દેવાયત રાજકોટથી તડીપાર…72 દિવસના જેલવાસ બાદ એક શરત પર હાઈકોર્ટ દેવાયત ખવડની જામીનની અરજી મંજૂર કરી…"

Leave a comment

Your email address will not be published.


*