ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ મોટું નિવેદન,જાણો

Published on: 6:41 pm, Sat, 4 September 21

ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ ઘણી જગ્યાએ ગેરકાયદેસર રીતે દારૂ વેચાતો જોવા મળે છે અને તે પકડાઈ પણ જાય છે. ઘણા લોકો દારૂની મહેફિલ માણતા પણ ઝડપાઈ જાય છે. ગુજરાતની અંદર દારુબંધી ને નાબુદ કરવા માટે હાઇકોર્ટ ની અંદર એક અપીલ કરવામાં આવી છે.

ત્યારે આ મામલામાં હવે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. દારૂબંધી અંગે નીતિન પટેલે જણાવ્યું કે, આપણું ગુજરાત દારૂબંધી ને વરેલું છે.

દારૂબંધી માટે રાજ્યએ મોટી આવક જતી કરવી પડે તો પણ અમે જતી કરવા તૈયાર છીએ. રાજ્યના ગૃહવિભાગ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન પ્રત્યે કડક વલણ અપનાવે છે.

આપ સૌને ખ્યાલ હશે કે ગૃહ વિભાગને સિસ્ટમ છે કે જે તે પોલીસ સ્ટેશનની હદમાંથી દારુ પકડાય તો ત્યાંના પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરી દેવામાં આવે છે.

દારૂબંધી ઉપર ભાર મૂકતા નીતિન પટેલે વડોદરામાંથી જણાવ્યું કે, દારૂબંધી માટે ટેક્સની આવક ગુમાવવી પડે તો ગુમાવીશું પરંતુ દારૂ પરનો પ્રતિબંધ નહિ હતાવીએ.

બીજી તરફ નીતિન પટેલે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા અંગેની પણ માંગણી કરતા હિંદુઓનું ધ્યાન પોતાની તરફ આર્કષિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતાં રાજકીય પક્ષો હાલમાં એક્ટિવ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ મોટું નિવેદન,જાણો"

Leave a comment

Your email address will not be published.


*