બોલિવૂડના આ અભિનેતાએ કહ્યુ કે ભલે કિડની વેચવી પડે કે ભૂખે મરીએ પણ વોટ તો…

Published on: 6:28 pm, Sat, 4 September 21

બોલિવૂડ અભિનેતા ફિલ્મ વિવેચક કમલ રાશીદ ખાન અવારનવાર પોતાના નિવેદનો અને ટ્વીટ્સ માટે ચર્ચામાં રહેતા હોય છે.બોલિવૂડમાં કામ કરી ચૂકેલા સુપર સ્ટાર્સ કમલ રાશીદ કોઈપણ મુદ્દે પોતાનો અભિપ્રાય સોસીયલ મીડિયા પર રાખતા હોય છે.

કેટલીકવાર તેમને લોકો તરફથી ઘણો સાથ પણ મળે છે અને કેટલીકવાર તે તેમના નિવેદનો અને ટ્વીટ્સને કારણે ભારે ટ્રોલ પણ થાય છે.બૉલીવુડ ના સુપર સ્ટાર્સ કમલ રાશીદ ખાન ચર્ચામાં રહેવાની કોઇ તક છોડતા નથી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે.

કમલ ક્યારેક બોલિવૂડ વિશે ટ્વીટ કરતા હોય છે અથવા ક્યારેક ભારતીય રાજકારણ પર નજર રાખીને,તે કેન્દ્ર સરકાર વિશે વાત કરતા રહે છે.કમલ ક્યારેક મોદી સરકારના વખાણ કરે છે,તો ક્યારેક સરકાર પર કટાક્ષ પણ કરે છે.હાલમાં,તેમણે અલગ અલગ કેટલાક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરી લીધી છે.તેમનું તાજેતરનું ટ્વીટ હાલમાં ભારે વાયરલ થઈ રહ્યું છે.

તેમણે કહ્યું છે કે અમે મોદીજીના ભક્ત છીએ,ભલે અમે ભૂખે મરીએ પણ અમે મોદીજીને જ મત આપીશું.તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ,કમલ રાશીદ ખાને એ ટ્વિટ કર્યું અને લખ્યું કે,’અમે મોદીજીના ભક્તો છીએ,ભલે અમારા બાળકો અભણ રહે,અમારી કિડની વેચાય,અમે ભૂખે મરીશું, પણ મરીએ ત્યાં સુધી મત આપીએ તો માત્ર મોદીજીને ! મોટેથી બોલો જય શ્રી રામ ! ‘આ નિવેદન હાલ સોસીયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બોલિવૂડના આ અભિનેતાએ કહ્યુ કે ભલે કિડની વેચવી પડે કે ભૂખે મરીએ પણ વોટ તો…"

Leave a comment

Your email address will not be published.


*