દીકરીના સાસરિયામાં ગયેલા પિતાનું હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ નિધન… પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ…

Published on: 10:40 am, Tue, 31 October 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનામાં ઘણા લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. ત્યારે પાટણમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. ગઈકાલે પાટણના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના મહિલા સરપંચના પતિનું હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ નિધન થયું છે.

આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ કાનજીભાઈ પરમાર હતું અને તેમની ઉંમર 58 વર્ષની હતી. કાનજીભાઈ ગઈકાલે સિદ્ધપુર સ્થિત પોતાની દીકરીના સાસરીમાં સંબંધીના લોકચાર માટે ગયા હતા.

રાત્રે ભોજનનો કાર્યક્રમ હતો, જેના કારણે તેઓ ત્યાં જ રોકાયા હતા. ત્યારે સાંજના સમયે અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો. એટલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલા તો કાનજીભાઈનું મોત થઈ ગયું હતું. કાનજીભાઈ ના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

કાનજીભાઈના મોતના સમાચાર મળતા જ પરિવારના લોકો અને ગામના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મિત્રો આ પહેલા પણ ગુજરાત રાજ્યમાં આવી જ રીતે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સતત વધતી જતી હાર્ટ એટેકની ઘટનાના કારણે ગુજરાતીઓ હવે ચિંતામાં મુકાઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરીના સાસરિયામાં ગયેલા પિતાનું હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ નિધન… પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*