દીકરી એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, તડપી તડપીને દીકરીનું મોત…આ પગલું ભરતા પહેલા પિતાને ફોન કરીને એવું કીધું હતું કે…જાણો સમગ્ર ઘટના

Published on: 10:15 am, Mon, 31 October 22

આજકાલ જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ ઘટના બનતા જ ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ શનિવારના રોજ મૃત્યુ પામેલી મહિલાના પિતાએ દીકરીને સુસાઇડ માટે ઉશ્કેરવાનો કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો.

મૃત્યુ પામેલી મહિલાનું નામ પૂનમ શુક્લા હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના જયપુરમાં બની હતી. પૂનમ શુક્લા ત્રિવેણીનગર જયસિંહપુરા ઢોરમાં પોતાના પતિ નીરજ અને 12 વર્ષના દીકરા વિપુલ સાથે રહેતી હતી. તેનો પતિ નીરજ દુકાનમાં કામ કરે છે, જ્યારે દીકરો વિપુલ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. 27 ઓક્ટોબરના રોજ રાત્રે લગભગ 11.45 વાગ્યાની આસપાસ પૂનમે ઘરે એસિડ પી લીધું હતું.

આ ઘટના બન્યા બાદ પરિવારના લોકો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. 28 ઓક્ટોબર સવારે 9:30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પૂનમનું મોત થયું હતું. હોસ્પિટલની ટીમે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી. પૂનમના મૃત્યુ થયા બાદ આ ઘટનાની જાણ તેના પિયર પક્ષને કરવામાં આવી હતી.

પિયરીઓ આવ્યા બાદ પોલીસે પૂનમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું અને પોસ્ટમોર્ટમાં રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપ્યું હતું. પૂનમ પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી તેવું પોલીસનું કહેવું છે. સમગ્ર ઘટનાને લઈને પૂનમના પિતાએ સુસાઇડ માટે ઉશ્કેરવાનો કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો.

પૂનમ ના લગ્ન 29 એપ્રિલ 2007 ના રોજ નિરવ સાથે થયા હતા. લગ્નના છ વર્ષ સુધી બધું બરોબર ચાલતું હતું. ત્યારબાદ નીરજ પુનમને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. નીરજ પુનમ ને કહેતો હતો કે તારા પિતાએ મને લગ્નમાં કાંઈ આપ્યું નથી. મળતી માહિતી અનુસાર નીરજને અન્ય યુવતી સાથે ગેરકાયદેસર સંબંધ હતા.

એવું જાણવા મળી રહ્યું છે કે નીરજ પોતાની પત્નીને કહેતો હતો કે મારે તારી સાથે કોઈ સંબંધ નથી, તું મારી સૌથી મોટી દુશ્મન છો. મેં તારી સાથે લગ્ન કર્યા છે. તું મારા જીવનમાં ફંદાની જેમ અટવાઈ ગઈ છો. હું તારી સાથે ફરી ત્યારે પતિ પત્નીના સંબંધ બાંધીશ નહીં. તું નોકરાણીની જેમ જીવન જી. આ બધી વાત પૂનમે પોતાના પિતાને કરી હતી.

પૂનમના પિતાનો આરોપ છે કે, પૂનમે આ પગલું ભર્યા તેના બે દિવસ પહેલા ફોન કર્યો હતો. દીકરીએ ફોન કરીને કહ્યું છે કે, નીરજ બીજી છોકરી સાથે કાંઈક ગયો છે. મને કહે છે કે તું નોકરાણી છો અને નોકરાની ની જેમ જીવીશ. ત્યારે મેં મારી દીકરી ને શાંત રહેવાનું કહ્યું હતું. મળતી માહિતી અનુસાર પૂનમે તેના પતિના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું એવી માહિતી સામે આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરી એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, તડપી તડપીને દીકરીનું મોત…આ પગલું ભરતા પહેલા પિતાને ફોન કરીને એવું કીધું હતું કે…જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*