કોરોના નું સંક્રમણ વધતા ગુજરાતના આ શહેરમાં લાગી 144 મી કલમ,જાણો સમગ્ર માહિતી

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા વડોદરા પોલીસ કમિશનરે કડક પગલું ભર્યું છે. વડોદરા પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટ એક જાહેરનામું બહાર પાડી વડોદરા શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે. આગામી 27 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી સમગ્ર વડોદરા શહેરમાં 144ની કલમ લાગુ રહેશે. શહેરમાં સભા, રેલી અને સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો છે.

વડોદરા શહેરમાં 4 કરતાં વધારે વ્યક્તિઓ જાહેર સ્થળ પર ભેગા થશે તો તેની સામે દંડનીય કાર્યવાહી થશે.ગુજરાત રાજ્યમાં કોરોના ની સ્થિતિ ની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 61,904 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 1408 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.69 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 3384 પર પહોંચ્યો છે. ગુજરાતમાં સતત કેસ વધારાના કારણે ગુજરાત સરકારે કોરોના સંક્રમણ પર કાબૂ મૂકવા માટે વડોદરામાં 144ની કલમ જાહેર કરી.

144ની કલમ લાગુ પડતા વડોદરામાં કોરોના કેસ કાબુ થશે તે કારણે આ નિર્ણય સરકારે લીધો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*